________________
૩૩
આ પ્રથાને લીધે શ્રેષ્ઠ ધણખૂટ અને શ્રેષ્ઠ પશુધનના વંશવેલા વિસ્તર્યા કરતા. આપણે સ્વીકારેલી પશ્ચિમની શેષક અર્થવ્યવસ્થાના પ્રત્યાઘાતરૂપે જે મેંઘવારીએ પ્રજાને ભરડે લીધે છે, અને પશુસંવ. ધન સામે શેષિક અર્થનીતિએ જે પહાડ જેવા અવરે ઊભા કર્યા છે, તેને કારણે નીલશ્રાદ્ધની પ્રથા લગભગ બંધ પડી છે. - (૨) બીજી પ્રથા દક્ષિણ ભારતમાં હતી. ત્યાં મેદાન જેટલું જ વૃષભદાનને ધાર્મિક મહત્વ અપાતું. કેઈને પણ એમ લાગે કે તેનું મૃત્ય હવે નજદીક છે ત્યારે તે વૃષભદાન એટલે કે વાછડાનું દાન કરતે.
વૃષભદાન માટે દરેક ગામે એક કમિટી રહેતી. વૃષભદાન કરવાની ઇચ્છાવાળી વ્યક્તિ પિતાના ઈરાદાની કમિટીને જાણ કરે. કમિટી પિતાના ગામમાં કોની પાસે શ્રેષ્ઠ વાછડે છે, તેની જાણકારી રાખતી. અને જ્યારે કોઈની વૃષભદાન કરવાની તેને જાણ થાય ત્યારે તે વાછડાઓને ભેગા કરી શ્રેષ્ઠ વાછડે દાન માટે પસંદ કરતી.
એ વાછડાની કમિટી જે કિંમત નક્કી કરે તે કિંમત આપવાને દાન આપનાર વ્યક્તિ અને એ કિંમતે વાછડે વેચવાને એને માલિક બંધાયેલા રહેતા. વાછડાના માલિકને કમિટીએ નક્કી કરેલી કિંમત ચુકવી આપીને વૃષભદાન કરનાર વ્યક્તિ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી વાછડો ગામનાં મંદિરને અર્પણ કરાતે, પછી તે વાછડાને શ્રેષ્ઠ ધણખુંટ બનતે. અને તેના રક્ષણ અને પિષણની જવાબદારી મંદિરની અને મંદિર દ્વારા આખા ગામની રહેતી.
પશુધન કેમ ઘસાતું જાય છે? પણ જ્યારે ગાયની કતલની નીતિ ચાલુ થઈ ત્યારે બળદની ખેંચ પડવા લાગી; અને તેથી ખેડૂતે મેં માગ્યા દાન આપીને સારા વાછડાઓ ખરીદી લેવા લાગ્યા.
એટલે સારા વાછડાઓ મળી શકવાને અભાવે ઊતરતી કક્ષાના અને ધણખૂટને માટે અગ્ય એવા વાછડાએ જ નીલશ્રાદ્ધ કે વૃષભદાન કરવા માટે મળવા લાગ્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org