SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૭ પરદેશીઓ જે કહે તે માની લેવા સિવાય અને તેઓ જે આપે તે ખાઈ લેવા સિવાય આપણે માટે બીજે રસ્તે જાતે નથી સબૂર! રસ્તે તે જરૂર છે, પણ સરકાર તે સ્વીકારવા તૈયાર નથી અને સરકારને ફરજ પાડવાનું પ્રજામાં ખમીર રહ્યું નથી. - જે ગાય (પશુ) આધારિત અર્થવ્યવસ્થા પુનઃ સ્થાપિત કરવામાં આવે અને ગોરક્ષા, વનરક્ષા, ભૂરક્ષા અને જલરક્ષા કરવાની યેજના અમલમાં આવે તે ત્રણ જ વર્ષમાં પ્રજાની ખાવા-પીવાની તમામ મુશ્કેલીઓને અંત આવી જાય. ખાવા-પીવાની આપણી આજની મુશ્કેલીમાં આપણા ધર્મ અને સંસ્કૃતિ ઉપર ઘણા જ ઘા પડી રહ્યા છે. પણ ઈ. સ. ૧૮૫૭ માં પ્રજામાં જે ખમીર હતું તે હવે ૧૭૭માં ' લગીરે રહ્યું નથી. એથી ઊલટું, હવે તે જૈન અને પરમ વૈષ્ણવ વેપારીઓ જ સરકાર ઉપર દબાણ કર્યા કરે છે કે તેલના ભાવ સ્થિર રાખવા હોય તે વધુ ને વધુ ચરબીની પરદેશથી આયાત કરે!. - હાય! આ બધું શું થવા બેઠું છે? % અણઘડ અને ઉછીની કોંગ્રેસ નીતિઓને અનુસરતી " જનતા પાર્ટી પ્રજાનું શું હિત કરશે? છે તેલની પુષ્કળ આયાતથી કરાયેલો ભાવઘટાડે ભયંકર આંધીને સર્જક બનશે. ઘઉંનું વાવેતર ઘટાડ્યા વિના તેલ–નીતિ સરકારને કઈ રીતે જંપવા દે તેમ નથી. ખાદ્ય તેલની કટોકટી નિવારવા યોગ્ય અને વહેવા પગલાં નહિ લેવાય તે લોકોમાં અભૂતપૂર્વ અસંતોષ વ્યાપી જશે. એ કહે - ટીનાં કારણે નીચે મુજબ છે: (૧) વનસ્પતિ ઉદ્યોગને તેના આર્થિક કે વાસ્તવિક પાસાંઓને વિચાર કર્યા વિના આડેધડ વિકાસ કરવાનાં પગલાં. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005613
Book TitleVishvamangal Granthmala Part 01
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy