SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ કારણ છે શેરડીના ભાવ ઊંચા બાંધ્યા, જેથી ખેડૂતે પશુઓના ચારાને બદલે શેરડી વાવવા લલચાય. બ્રિટિશરાજના સમયમાં બ્રિટિશરાજમાં દેશનું ખાંડનું ઉત્પાદન ૭ લાખ ટન હતું; છતાં ઢાકાને ખાંડ જોઈએ તેટલી મળતી અને ભાવ એક રૂપિયાની સાત શેર એટલે ત્રણ કિલાના હતા. હવે વસ્તી બમણી થઇ અને ખાંડનુ ઉત્પાદન છ ગણું થયું; છતાં ભાવ ૧૨ થી ૧૬ ગણા વધ્યા છે; અને છતાં ખાંડ દુષ્પ્રાયઃ રહે છે. વળી જે ખેડૂત ૧૦૦ ટન શેરડી ઉગાડે તેને. ૧૦૦ ગ્રામ ખાંડ મેળવતાં નાકે દમ આવે છે. ખાંડના ભાવવધારા અને તંગી એનું કારણ વસ્તીવધારા નથી પણ અમેરિકન કોકાકોલા અને તેના જેવાં ભારતીય કંપનીઓનાં મીઠાં ઠંડાં પીણાં રાજની ક્રાડા ખાટલીના હિસાબે હેચાય છે તેમાં એ ખાંડ વપરાઈ જાય છે. કેવી સિક્તથી ઘરઘરના દૂધના પુરવઠા ઘાસચારાની ખેંચ ઊભી કરીને કાપી નાખ્યું અને તેને બદલે કોકાકોલા અને બીજા ઠંડાં પીણાં ઘુસાડી દીધાં! આંગળીના વેઢે ગણાય એટલાં કારખાનાં – ક્રોડા. ભારતવાસીઓના રાજ ક્રાડાના હિસાબે – પૈસા ચૂસે છે. સરકારે ગરીબી હટાવી ખરી, પણ તે ભારતીય પ્રજાજનેાની નહિ; પરંતુ ખાંડ અને મીઠાં પીણાંના કારખાનાદારીની. અને દૂધ સિફતથી અદૃશ્ય કરીને હવે પાષણ અને પ્રોટીનના મહાના નીચે ઘેર ઘેર ઈંડાં, માછલી, માંસ પહોંચાડવાની એવી સફાઇથી ચેાજના આવી રહી છે કે જેની લાકોને ગધ પણ ન આવે. % વિકરાળ આંતરવિગ્રહ તરફ ધસતી ભારતીય પ્રજા ! # આંતરવિગ્રહની જવાળાઓ કાણુ પ્રગટાવશે ? ૐ મથન એ જ હવે તા જીવનાપાય ! પૂર્વે જ્યારે આંતરવિગ્રહ ફાટી નીકળતા ત્યારે તેમાં બે જ પક્ષે લડતા : રાજકર્તા પક્ષ અને રાજવિરોધી પક્ષ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005613
Book TitleVishvamangal Granthmala Part 01
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy