________________
૧૫૧ એમાંનાં પિતાનાં વંશપરંપરાનાં ઘરબાર છોડીને શહેરી ફૂટપાથ ઉપર માનવભંગારના ઢગલારૂપે પથરાવા લાગ્યું.
આ હિજરતે શહેરમાં પાણી પુરવઠા, સ્વાસ્થ અને સલામતીની વ્યવસ્થા સામે ભય ઊભું કર્યો.
મદ્રાસમાં રાજ્યના રહેઠાણ પ્રધાનની કોન્ફરન્સમાં કેન્દ્રના એક રહેઠાણ પ્રધાને જણાવ્યું કે, “દેશમાં શહેરી વિસ્તારમાં ૧ કરોડ ૧૪ લાખ મકાને અને ગામડાઓમાં ૬ કરોડ ૭૭ લાખ મકાને બાંધવાની આવશ્યકતા છે. ૧૫ વરસમાં આપણે ૬૦ લાખ મકાને બાંધવાની આવશ્યકતા છે. ૧૫ વર્ષમાં આપણે ૬૦ લાખ મકાને ર૪ અબજ ૪૦ કરોડ રૂપિયાનો ખર્ચ બાંધ્યાં છે. તમામ લેકને રહેઠાણ પૂરાં પાડવા માટે આપણને ૩૦ હજાર કરોડ રૂપિયાની જરૂર પડશે.”
આ ઝડપથી જે મકાને બંધાય તે લક્ષ્યાંક સિદ્ધ કરતાં ૧૮૫ વર્ષ લાગે, જે દરમિયાન હાલમાં સારી હાલતમાં ઊભાં છે, તે મકાને અને રહેઠાણને મામલે અતિશય ગૂંચવાઈ જઈને દેશમાં ભારે અવ્યવસ્થા ફેલાઈ ગઈ હશે. - હાલમાં જે લખે કે ફૂટપાથ ઉપર ઉઘાડા આકાશ નીચે વરસાદ, પવન, ઠંડી, ધૂળ, તડકો વગેરે સામે કાંઈ જ રક્ષણ વિના, કુદરતી રીતે પાણીની પણ કોઈ જ સગવડ વિના પડેલાં છે, તેમના પ્રપૌત્રોના પણ પ્રપૌત્રો – કદાચ હાલ છે તેના કરતાં પણ વધુ બદતર સ્થિતિમાં જીવતા હશે. કારણ કે ૧૮૫ વર્ષમાં માનવભંગારને ગંજ ઘણે મેટ થઈ ગયે હશે.
પછી કેન્દ્રના રહેઠાણ ખાતાના એક બીજા પ્રધાનશ્રીએ નિવેદન કર્યું છે, “કો સસ્તાં મકાન બાંધી શકે તે માટે જાહેરક્ષેત્રમાં ઈંટનાં કારખાનાં બાંધવાં જોઈએ. આ કારખાનાં ઊભાં કરવા ૧૮,૦૦૦ કરોડ રૂપિયાની જરૂર પડશે, જે ૩૫ રૂપિયે એક હજારના ભાવે ઈટ વહેં. ચશે, જેથી મકાને સસ્તા ભાવે બાંધી શકાય.”
આવાં કેટલાં કારખાનાં બંધાયાં તે જાણવા મળ્યું નથી, પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org