SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૩. માલની હેરફેર, નાણાંની હેરફેર અને વેગનેની હેરફેર ઝડપી બને, જેથી વેપારીઓ અને ઉદ્યોગો બંનેને ખૂબ ફાયદો થાય. - ૧૦૦ માઈલના વિસ્તારમાં ટ્રેનની ઝડપથી જ ગાડું માલની હેરફેર કરી શકે. કારણ કે, ગાડામાં માલ ભરતાં વાર લાગતી નથી, અને માલ ભરતાં જ તે મુસાફરી શરૂ કરે છે. જ્યારે માલગાડીનાં ૫૦-૭૫ વેગને ભરાઈ જાય પછી જ તે ઊપડે. પણ વેગને મળતાં અને ભરાતાં અઠવાડિયું નીકળી જાય છે. જે દરમિયાન તે બળદગાડું ધારે તે સ્થળે માલ આપીને પાછું આવી જાય છે. - જે ભારતીય રીત પ્રમાણે પશુ સંવર્ધન કરીએ અને પશ્ચિમી રીતને, જેને આપણે અજ્ઞાનથી વૈજ્ઞાનિક ઉછેર માનીએ છીએ, તેને તિલાંજલિ આપીએ તે આપણે દશ વર્ષમાં એવા બળદ પેદા કરી શકીએ, જે રેજ ૫૦ થી ૬૦ માઈલની ઝડપ કરી શકે. આવી જના અમલમાં આવે તે બીજા એક કરોડ માણસને બળદગાડાંના વાહનવહેવારમાં તેજી મળી શકે. સરકાર અને આજનના ઉપાધ્યક્ષ સાહેબ નવી આર્થિક નીતિ ગ્રામાભિમુખ બનાવવાની જાહેરાત તે કર્યા કરે છે, પણ ગ્રામાભિમુખ આર્થિક નીતિમાં બળદગાડાને વાહન વહેવાર ન હોય તે ગ્રામાભિમુખ આર્થિક વિકાસ થઈ શકશે નહિ. ગ્રામાભિમુખ આથિક નીતિના પાયામાં જ ગોરક્ષા અને વનરક્ષા રહેલી છે અને ગેરક્ષા કર્યા પછી ઉત્પન્ન થતા બળદને રાષ્ટ્રના વિકાસમાં ઉપયોગ ન કરે તે ગેરક્ષા સફળ થઈ શકે પણ નહિ. અગ્રેજોનું બળદગાડાને વધુ મહત્વ આપણા દેશના લેકને કદાચ એ કલ્પના પણ નહિ હોય કે અંગ્રેજો બળદગાડાંના વાહન વહેવારને પિતાનું હિત હોય ત્યાં ભારે મહત્વ આપતા હતા. અંગ્રેજોને હંમેશા રશિયન આક્રમણને ભય રહે તે એટલે અફઘાન સરહદ પાસે આપણું બળવાન લશ્કરી થાણું રહેતું. પણ એ પ્રદેશમાં રેલવે બાંધવાની કોઈ શક્યતા ન હતી. એટલે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005613
Book TitleVishvamangal Granthmala Part 01
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy