________________
રચના પણ આ ચારે વર્ષોના કાર્યક્ષેત્રને ધ્યાનમાં રાખીને જ નક્કી કરવામાં આવી હતી.
વસવાટની વ્યવસ્થા ગામમાં દરેક વર્ણનાં રહેઠાણે, તેમનાં કાર્યોમાં વિક્ષેપ ન પડે કે આખા ગામને વિવિધ વર્ગોના વ્યવસાયથી અગવડ ન પડે, એ રીતે બંધાતાં. બ્રાહમણવાડો એવા સ્થળે બંધાતે જ્યાં વિદ્યાભ્યાસ કરવા માટે શાતિ રહે. વેપારીઓના બજાર ગામની વચ્ચે રખાતા. કારીગરે. ને વસવાટ અલગ રહેતે અને હરિજનોનો વસવાટ જે દિશા તરફ પવન વહેતે હેય એ દિશામાં રખાતે, જેથી તેઓ મરી ગયેલાં ઢોરનાં
જે ચામડાં કમાવતા, તેની ગંધ આખા ગામમાં પ્રસરી જાય નહીં. ( આ પ્રમાણે સહુ સહુના વ્યવસાય પ્રમાણે લેકે ગામમાં એક કે બીજા છેડે રહેતા. આમાં ઊંચનીચની તિરસ્કારભરી ભાવનાને સ્થાન ન હતું, પણ ગામ લેકેની સગવડ સાચવવાની વ્યવસ્થા જરૂર હતી.
વ્યવસાય-વ્યવસ્થા ચર્મઉદ્યોગ અને વણાટકામ એ હરિજનના બે મુખ્ય વ્યવસાય હતા. તે ઉપરાંત તેમની પાસે એકાદ બે વીઘાં જમીન પણ રહેતી, જેમાં તેઓ પિતાના માટે અનાજ ઉગાડી લેતા અને અનાજ કાપણીના સમયમાં ખેતરમાં મજૂરી (અનાજ લણવું વગેરે) કરીને પણ આખા વરસનું અનાજ મેળવી લેતા અને આ ત્રણે કાર્યોને અંગે બાકીના ત્રણે વર્ણો સાથે તેમને ધંધાકીય સંબંધે રહેતા.
ભારતના અર્થતંત્રને આધાર ઈ. સ. ૧૮૫૭ સુધી ભારતનું અર્થતંત્ર સંપૂર્ણ રીતે ગોવંશ આધારિત હતું. એટલે દેશમાં ગાય અને બળદની અતિ વિશાળ વસતી હતી. દેશનાં ખેતી, પિષણ વહેવાર, રહેઠાણ, સંરક્ષણ, બળતણ, વૈદકીય સારવાર, મુસાફરી વગેરે અનેક ક્ષેત્રો ગે-વંશ આધારિત હતાં. છેક ૧૮૫૭ સુધી દેશમાં સંપૂર્ણ ગોવંશબંધીને કાયદે હતે. ઈ. સ. ૧૮૦૪ સુધી જે રજપૂત રાજાઓએ અંગ્રેજો સાથે કરાર કર્યા તેમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org