SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૯ પ્રમાણ ઘટી ગયું. શુદ્ધ ઘીને પુરવઠો કપાઈ જતાં તેના ભાવ વધી ગયા. એટલે વનસ્પતિની જરૂરિયાત વધી. દેશમાં ઉત્પન્ન થતું સીંગતેલ વનસ્પતિની જરૂરિયાત પૂરી શકતું નથી. જેમ જેમ સીંગદાણાનું ઉત્પન્ન વધારીએ છીએ તેમ તેમ ચેકસ કારણેને અંગે સીંગતેલની અને વનસ્પતિ( ડાલડા)ની માંગ પણ વધી જાય છે. એટલે સીંગતેલનાં માંગ અને પુરવઠા દિવસે દિવસે ખારવાતા જાય છે. આની સમતુલા જાળવવા કપાસિયાનું તેલ વનસ્પતિ ઉદ્યોગને ફાળવી દેવાનું શરૂ થયું. પણ કપાસિયામાં માત્ર ચાર ટકા જ તેલ નીકળે છે એ વાત મોટા ભાગના લેકે જાણતા નથી. અલબત્ત, આંકડાની ઈન્દ્રજાળ બતાવીને એ ચાર ટકા તેલ આઠ ટકા નીકળ્યું છે તેમ બતાવી શકાય. પણ જ્યારે બીજા તેલીબિયાંમાંથી ૪૯ થી ૫૦ ટકા તેલ નીકળે છે ત્યારે કપાસિયાને પીલીને ચાર ટકા તેલ મેળવીને તેલના ખેરવાઈ ગયેલા પુરવઠાને સમતલ બનાવવાનો પ્રયત્ન માત્ર બાલિશ નહિ પણ, અનાર્થિક, અવહેવાર અને રાષ્ટ્રીયતાવિરોધી છે. આંકડાની માયાજાળમાં ફસાતી પ્રજા કપાસિયાને પીલી નાખવામાં હિત ધરાવનારા નીચેના આંકડા બતાવીને લેકોને જમણામાં નાખીને સમજાવી શકે કે, “સ્પાસિયા પીલી નાખવાથી કાંઈ નુકસાન નથી થતું પણ, દેશને જંગી હૂંડિયામણને અને વનસ્પતિ ઉત્પાદનને ફાયદો થાય છે.” હવે આ દલીલમાં કેટલું તથ્ય છે તે જોઈએ. દેશમાં કપાસિયાનું. વાર્ષિક ઉત્પાદન આશરે ૬,૫૨,૦૦૦ ટન છે, તેને પીલી નાંખે – એટલે ર૦,૦૦૦ ટન તેલ નીકળે અને તે તેલમાંથી ૨૫,૮૦૦ ટન વનસ્પતિ બને; જેની કિંમત અંદાજે બજારમાં ચાલતા સરેરાશ બાર. રૂપિયે કિલોના ભાવ ગણતાં ૩૧ કરોડ રૂપિયાથી થોડી વધુ થાય. ળ ૩,૨૬,૦૦૦ ટન મળે તેથી બજારના સરેરાશ ૧૧૭૫ રૂપિયે ટનના ભાવ પ્રમાણે ૩૧ કરોડ ૨૫ લાખ રૂપિયા થાય. પણ આ દર કરોડ રૂપિયા તે આંગળીને વેઢે ગણાય એટલી વ્યક્તિઓના ખીસામાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005613
Book TitleVishvamangal Granthmala Part 01
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy