SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ પિતાના જીવનમાં બે પાસાં કેમ સરખાં કરવાં તેની ચિંતામાં બીજી જરૂરિયાત અને મુશ્કેલીઓ પ્રત્યે જવાની કે વિચાર કરવાની પણ સુરસદ નથી, અને બીજે જે એક નાનકડો વર્ગ છે, તેને તે ધન કમાવા સિવાય બીજી કઈ જ ખેવના નથી. ધન મેળવવું, કઈ પણ પ્રકારે મેળવવું એ જ એમને માટે જીવનનું પરમ ધ્યેય છે. એટલે આવી બાબતે માં એમને કશું લાગતું-વળગતું નથી. એટલે આવી મહા હાનિકારક રજૂઆતને વિરોધ કેણ કરે? પશુઓ પિતે તે વિરોધ કરી શકે નહિ અને પશુપાલકો અભણ હોય અને સંગતિ ન હોય, એટલે વિરોધ કેમ કરવું તે જાણે નહિ અને કદાચ તેઓ વિરોધ કરે તે પણ શું? - તેઓ કહે છે કે, “કપાસિયા પીલી નાખવાથી પશુઓને અને સરવાળે સમગ્ર રાષ્ટ્રને નુકસાન થશે. કપાસિયા મળવાથી પશુઓ નબળા પડશે. દૂધ આપવાની શક્તિ ગુમાવશે. દૂધમાં ઘીનું પ્રમાણ ઘટી જશે, બળદ નબળા પડવાથી ખેતી અને વાહનવહેવારને ધક્કો લાગશે.” તે પણ તેઓનું કહેવું પ્રમાણભૂત કેમ ગણાય? તેમના નામ પાછળ ડીગ્રીઓનાં પૂંછડાં કયાં છે? લાંબી ડીગ્રીઓવાળા પરદેશમાં ખ્યાતિ અને લાગવગ ધરાવતા પથ્થશાસ્ત્રીઓ કહે છે કે, “ખેળમાં પિષક તત જળવાઈ રહેશે.” તે તે જ સાચા ગણાય અને તેમની રજૂઆત પ્રમાણભૂત ગણાય હડિયામણની સુંવાળી લાલચના પાપ કપાસિયા પીલવાની સરકારે મંજૂરી આપી નથી. પણ વળી બીર લાગવગવાળ વર્ગ તખ્તા ઉપર આવ્યું. સરકારને ચરણે હુંડિયામગની કથળીની લાલચ ધરી કે ખેળ નિકાસ કરી નાખવા પરવાનગી આપ તે મબલખ હૂંડિયામણું મળશે. બસ, મંજૂરી મળી ગઈ. પશુઓ રખડી પડયાં. પાછી આવી વનસ્પતિ તેલની તંગી ત્યાં તે દેશમાં વનસ્પતિ( ડાલડા)ની તગી ઊભી થઈ. કારણ કે એક તરફથી કપાસિયા ન મળવાથી દૂધ ઓછું થયું. દૂધમાં ઘીનું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005613
Book TitleVishvamangal Granthmala Part 01
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy