________________
મોંઘવારી અને બેકારીની બેવડી ભીંસ / ૫
વ્યવસ્થા શોધશે. મેં પૂછયું કે વણકરવાસમાં જઈને વણકરને વાત કરીએ તો એમણે મને કહ્યું કે સૂતર તૈયાર થવા દો, પછી અમે જ વણીશું.
મેરે માટે આ નવો જ વિચાર હતો. મેં માનેલું કે રેંટિયા પર સૂતર બનાવીને કાપડ બનાવવાનું નિવૃત્ત તથા ઘરડા લોકોને વધારે ગમે પણ આ ગામમાં તો યુવાન છોકરાઓએ એમાં ખૂબ રસ બતાવ્યો. વળી, તેઓ ભણેલા હતા. કેટલાક તે બી.કોમ. થયેલા હતા. એ
એટલે બેકારીની ભીંસ હવે એટલી વધવા માંડી છે કે ભણેલા યુવાન છોકરાઓને પણ રેંટિયા-સાળ વડે જાતે કાપડ બનાવીને કાપડનો ધંધો કરવામાં રસ પડવા માંડ્યો છે. બીજી બાજુ બજારમાં કાપડની કિમતો હવે એટલે ઊંચે જવા માંડી છે કે રેંટિયા-સાળ વડે ગામમાં કાપડ બનાવવાનો આર્થિક ફાયદો પણ ઘણો વધતો જાય છે.
એનો અર્થ એ થયો કે ધારો કે આપણે ગામડામાં રેંટિયો-સાળ શરૂ કરવા કામ ન પણ કરીએ અને દલીલ ખાતર ધારો કે ખુદ ગાંધીજી પણ ના થયા હોત તો પણ ગામડાંમાં રેંટિયા અને સાળ ભવિષ્યમાં શરૂ તો થવાનાં જ. કારણ કે ગામડાંમાં બેકારી વધતી જાય છે અને કાપડની શહેરમાં કિંમતો વધતી જાય છે. તેથી તેમને તેમની મુખ્ય ખરીદીની વસ્તુ કાપડ ગામમાં જાતે બનાવવાનું આર્થિક આકર્ષણ થવાનું જ એ દેખીતું છે. આ ઉપરાંત, ઉપર વાત કરી એ શેલા ગામના યુવાનો ઘણા બુદ્ધિશાળી હતા. એમણે પોતે જ દલીલો કરી : એકવાર અમે શરૂ કરીશું એટલે પછી ઘરડા લોકો અમારું જોઈને રેંટિયો શરૂ કરી દેશે અને કાપડ બનશે એટલે સાટા પદ્ધતિ શરૂ થવાની જ છે. ' છે. જે એકમાત્ર છોકરા કીર્તિ પાસે નોકરી હતી. એણે ખૂબ રસ લીધો : મારા ચાર કાકાઓ શહેરમાં રહે છે અને મને ત્યાં રહેવા બોલાવે છે પણ મને તો આ ગામ જ બહુ ગમે છે. હું કદી શેલા નહિ છોડું. તે દિવસે પરદેશીઓ આવ્યા હતા ત્યારે મેં તમને પરદેશ વિશે પૂછ્યું હતું પણ મને તો આપણી ભારતીય સંસ્કૃતિ જ ગમે છે. તમે જોજો, આ ગામમાં કાપડના તાકા ઉતારવા માંડીશું. પહેલાં તો મારે મારી જાતે બનાવેલું ખમીસ પહેરવું છે.
અલબત્ત, વિચારો અને કલ્પનાઓ ઝડપથી દોડે છે અને એમને આકાર લેતાં ઘણો સમય લાગે છે. એટલું જ નહિ, જે કામ રોમાંચક લાગે તે પણ
જ્યારે કરવા બેસીએ ત્યારે ખબર પડે કે કેટલા શેરે મણ થાય છે પરંતુ મનમાં વિચાર દઢ થાય તો એ પાર પાડવા પગમાં તાકાત આવે છે. તેમાંય યુવાનોના મનમાં સ્વપ્ન જાગે તો તેમના પગ થનગનવા માંડે છે. કીર્તિએ જ્યારે મને પૂછયું, તમે જેટલાં ગામડામાં ગયાં છો એમાં અમારા ગામડામાં તમને સૌથી વધુ ઉત્સાહ ન લાગ્યો ? ત્યારે મને તેની આંખમાં ખરે જ એક સ્વપ્ન દેખાયું હતું. - કવિ ઝવેરચંદ મેઘાણીએ એ સ્વપ્નને સૂર આપ્યો છે.
ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ વણદીઠેલી ભોમ પર યૌવન માંડે આખા
રિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org