________________
પશ્ચિમના યુવાનોનો ગ્રામવિકાસમાં રસ / ૪૩ મોંઘવારી વધારી રહ્યું છે અને એની ચિંતા તથા એમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધવાની ઉત્સુક્તા બધા દેશના યુવાનોને છે.
તેથી જ પશ્ચિમના યંત્રોદ્યોગના દેશોના યુવાનોને પણ ગાંધીજીએ બતાવેલી અર્થવ્યવસ્થામાં રસ છે, ગામ-સ્વરાજને અમલમાં મૂકવામાં રસ છે.
જો કે પીટર અને પેટ્રા જ્યારે ગામડામાં ગયા ત્યારે મોટે ભાગે બને છે તેમ તે ત્યાંના મોટા ખેડૂતોને જ મળ્યા પરંતુ ગામડાની વસતિમાં ઘણા સ્તર છે. ખેતમજૂરોની સ્થિતિ મોટા ખેડૂતોની સ્થિતિ કરતાં ઘણી જુદી હોય છે, ગામમાં એમનો રહેવાનો વાસ પણ જુદો, ગામની બહાર હોય છે અને ગરીબાઈની મોટા ભાગની સમસ્યાઓ આ જમીન વગરના મજૂરોની હોય છે, જેઓ વસતિના ૭૦% લોકો છે.
એટલે પછીને દિવસે અમે ગામડામાં ગયાં ત્યારે સીધા ખેતમજૂરોના વાસમાં તથા વણકરોના વાસમાં ગયાં. પરદેશીઓ આવેલા હતા, ફોટા પાડતા હતા છતાં પણ બધાંનો રસ અને બધાનું ધ્યાન કાપડ બનાવવાની વાત પર હતું. એક જુવાને જાતે જ કહ્યું કે જો કાપડ બને તો સાટા પદ્ધતિ શરૂ થઈ શકે અને તો બીજા ધંધા પણ શરૂ થાય. બીજા જુવાને કહ્યું કે મને દસ જ દિવસથી નોકરી મળી છે, સાવ મામૂલી પગારની છે પણ તેમ છતાં ઘરમાં મારું માન વધ્યું છે તો જો ઘરડાં લોકો કાપડ બનાવી શકે તો એમની જિંદગી કેટલી સુધરી શકે. ગ્રામજનોનો પ્રેમભાવ જોઈ પરદેશીઓ છક થઈ ગયા.
એ પછી પીટરના મનમાં એક જ વાત ઘૂમતી હતી : પૈસા વગરનું અર્થતંત્ર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org