________________
૩Y
૧૨
રૂનો પ્રશ્ન
ગામડાંની પ્રજાના વિકાસમાં રસ ધરાવતાં એક પત્રકાર ગામડામાં કાપડ બનાવવાનું જોવા માટે અમદાવાદ આવ્યાં હતાં.
એમને એક ગામડામાં મારી સાથે લઈ ગઈ.
“તમે જે રામદેવનગરમાં કામ કર્યું છે તે મારે જોવું છે.” એમણે ખાસ ઈચ્છા બતાવી.
જો કે, અત્યારે તો ત્યાં કામ મુલતવી રાખ્યું છે, કારણ કે ત્યાં સૂતર કાંતાનારા છે પણ એ સૂતરનું કાપડ બનાવનાર વણકર નથી. એટલે ત્યાં વણકર તૈયાર થાય પછી ત્યાં કાંતવાનું આગળ ચલાવીશું.' પરિસ્થિતિ જણાવી.
છતાં મારે ત્યાં જઈને કાંતનારાઓને મળવું છે.'
એ દિવસે મારાથી તેમની સાથે જઈ શકાય એમ નહોતું એટલે મેં તેમને રામદેવનગર પહોંચવાનો રસ્તો બતાવ્યો અને ત્યાં એક કાંતનાર કુટુંબી વાલજીભાઈના ઘરનું સરનામું આપ્યું. તેઓ ત્યાં જઈ આવ્યાં. પછી તેમણે મને પત્ર લખ્યો :
- મને રામદેવનગર પહોંચવામાં અને વાલજીભાઈને મળવામાં કોઈ મુશ્કેલી ન પડી. એમણે ઉષ્માભેર મને આવકારી, એમના ઘરની અંદર આવવા આમંત્રણ આપ્યું અને રેંટિયો કાંતવા અંગેના એમના અનુભવો વર્ણવ્યા, પછીથી એ મને એક પડોશીને ત્યાં લઈ ગયા જેઓ પણ રેંટિયો કાંતતા હતા. એ બધા તમને યાદ કરતા હતા અને તમારા કાપડ બનાવવાના કામનાં વખાણ કરતા હતા. અને થોડાક મૂંઝવણમાં હતા કે તમે ત્યાં જવાનું કેમ મુલતવી રાખ્યું છે
જ્યારે એમને પૂછયું કે રેંટિયા અત્યારે કેમ બંધ છે ત્યારે વાલજીભાઈએ જણાવ્યું કે રૂને અભાવે. એમની દષ્ટિએ વણકરની ગેરહાજરી એ કામ બંધ કરવાનું મુખ્ય કારણ નહોતું. એમણે અને એમના પાડોશી મારુએ બંનેએ કહ્યું કે વણકરો તે કોઈ નજીકના ગામડામાં શોધી શકાય. તેઓ કહે છે કે એમણે રેંટિયો બંધ ક્ય રૂના અભાવે. મેં જોયું કે તમે એમને રૂ છે રૂપિયા કિલોના ભાવે આપતાં હતાં. એમને પોતાની મેળે જો તે બજારમાંથી ખરીદવાનું હોય તો, વાલજીભાઈએ કહ્યું કે, તે તેમને પોસાય એમ નથી.
- આ એક અગત્યનો પ્રશ્ન છે જેની હું તમારી સાથે ખાતરી કરવા માંગે છું. એમ લાગે કે રામદેવનગરમાં જ્યાં સુધી તમે સતું રૂ આપતાં હતાં માત્ર ત્યાં સુધી જ કાપડ બનાવવાનું નાણાકીય રીતે લાભદાયી હતું. એ પણ રસપ્રદ છે કે પહેલાં ૧૮મી તારીખે આપણે જે ગામડામાં ગયાં હતાં ત્યાં પણ લોકોએ રેંટિયો શરૂ કરવાનું એટલા માટે કહ્યું કે તેઓ ખેતરોમાંથી રૂ સેરવી શકે એમ છે અથવા તો રૂ ચોરી શકે એમ છે. જો સામાન્ય પરિસ્થિતિ આ હોય તો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org