________________
૨૬ | ધન્ય આ ધરતી
યંત્રોદ્યોગ શક્ય નથી. નાણાપદ્ધતિ શરૂ થવાનું કારણ જ યંત્રોદ્યોગ છે. તેથી આજે દરેક વસ્તુ માત્ર પૈસાથી જ મળે છે અને દરેક વસ્તુનું – ખુદ માણસનું પણ – મૂલ્ય પૈસામાં જ અંકાય છે.
એક બાજ, પૈસા ન હોવાથી કરોડો લોકોને ભૂખમરો વેઠવો પડે છે. બીજી બાજ, પૈસો નીચ કામો દ્વારા પણ એકઠો થઈ શકે છે અને તેથી લોકોને નીચ કામો કરવા પ્રેરે છે. એક વાચક કિરણભાઈ ધોળકિયાનો આજે પત્ર છે તેમાં તે લખે છે, “નાણાં જ એક એવી વસ્તુ છે જેનો અમર્યાદ સંગ્રહ કરવા માટે હવે જાતજાતની સુવિધાઓ છે તેથી બિનજરૂરી સંગ્રહ કરવાની લાલચ આજે સહ. કોઈને થાય છે .. નાણાંએ અનેક પ્રકારનાં દૂષણો-અનિશે-ખૂનખરાબાને જન્મ આપ્યો છે અને છતાં માણસ એને છાતીએ લગાડીને કરવામાં જ ગૌરવ માને છે.”
જે વસ્તુ પૈસાથી મૂલવી શકાય એનું જ મૂલ્ય છે એટલે પૈસાદાર લોકો ટકે છે અને ગરીબો ફેંકાઈ જાય છે.
એ જ પ્રમાણે હવાપાણી મા હોવાથી એ વપરાયે જાય છે, વેડફાય જાય છે, પ્રદૂષિત થતાં જાય છે. આપણાં જંગલો ત્યાં ને ત્યાં ઊભાં રહે તો એમનું કોઈ નાણાકીય મૂલ્ય નથી પણ જો એમને કાપીને લાકડું પરદેશમાં મોકલીને વેચાય તો પૈસા મળે, ભલે આપણી લીલોતરી, સમૃદ્ધિનો નાશ થાય અને વરસાદ ઓછો થાય. એટલે અત્યારના તંત્રમાં પ્રોત્સાહન છે પ્રદૂષણ કરવાનું, કુદરતનો વિનાશ કરવાનું, નહીં કે કુદરતને સાચવવાનું.
પૈસાથી માપી ન શકાય એવી મૂલ્યવાન ચીજો આજે ખોવાઈ ગઈ છે . – જેમ કે બહેનોનું પ્રદાન, પ્રાચીન જ્ઞાનનો ભંડાર, સામાજિક કે સહકારની વૃત્તિ, જીવનના આદર્શો.
આ ખોવાયેલી સંપત્તિ પાછી કેવી રીતે મળે ? જો આપણે જોઈતી વસ્તુઓ - કમસે કમ પાયાની જરૂરતો રોટી, કાપડ અને મકાન – પૈસાને બદલે કોઈ બીજી વસ્તુ કે સેવા આપીને મેળવી શકીએ તો. જો નાણું અને એના મૂળમાં રહેલો યંત્રોદ્યોગ જાય તો.
આજે નાણાનું જોર એટલું બધું છે કે ઘણાને આ વાત અશક્ય લાગે, એમાં પણ વસ્તુવિનિમયની પ્રથા શરૂ થાય એ તો અકથ્ય લાગે. પરંતુ આ વાત બિલકુલ અસંભવ નથી. જો સ્થાનિક ધોરણે સ્થાનિક સાધનોથી ઉત્પાદન થાય તો ત્યાં બધા લોકોને માટે નવો જ માર્ગ ખૂલી જાય છે; તે એ કે આ વસ્તુઓ સ્થાનિક બનતી હોવાથી લોકો તે વસ્તુઓ પૈસાને બદલે બીજી કોઈ વસ્તુ બદલામાં આપીને લઈ શકે. આ માર્ગ નવો હોવા છતાં અત્યંત લાભદાયી અને તેથી સત્વરે અમલમાં આવી શકે એવો છે, ખાસ કરીને લાખો ગામડાંમાં, કારણ કે ગામડામાં લોકો પાસે પૈસા નથી પણ સમય છે. આ માર્ગ ખોલવાનું પહેલું પગલું છે ગામડામાં કાપડનું સ્થાનિક ઉત્પાદન, જે સાદા લાકડી રેંટિયા અને સાળ વડે શક્ય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org