________________
૧૮
અત્યારનું આંતરરાષ્ટ્રીય અર્થતંત્ર પશ્ચિમની દૃષ્ટિએ
જર્મનીની ટ્રીએર યુનિવર્સિટીમાં અનુસ્નાતક અભ્યાસ કરતી અને અમદાવાદ આવેલી બે યુવતીઓ પેટ્રા અને સીગીને મેં પૂછ્યું કે આધુનિક યંત્રો વડે દુનિયાભરનાં ' બજારો માટે જે ઉત્પાદન થાય છે તેના કરતાં સાદાં સાધનો વડે સ્થાનિક બજાર માટે ઉત્પાદન કરવાનું એમને શા માટે વધારે સારું લાગે છે?
અનેક કારણોસર, સીગીએ જવાબ આપ્યો. એક તો અત્યારે અમને ખબર નથી કે અમે જે વસ્તુઓ વાપરીએ છીએ એ કેવા સંજોગોમાં બનેલી છે.
બીજું, અમારે અમારા જીવનની ગતિ ધીમી કરવી છે. અમે વધારે ને વધારે વસ્તુઓ કે પૈસા મેળવવા માટે દોડીએ છીએ, પણ અમને ખબર નથી કે અમારું ધ્યેય શું છે. જો અમે શાંતિથી વિચાર કરી શકીએ તો અમે શોધી શકીએ કે અમારે શું જોઈએ છે.
ઉપરાંત, પર્યાવરણ અંગે પણ અમને ચિંતા છે. અત્યારે જે રીતે મંત્રો વડે મોટા પાયા પર ઉત્પાદન થાય છે તે રીતે ઉત્પાદન કરવાનું આખી દુનિયા માટે શક્ય નથી.
ઉપરાંત, અમારી અત્યારની જીવનપદ્ધતિ ઈચ્છનીય પણ નથી. આ જાતની જીવનપદ્ધતિથી લોકો સુખી નથી. આ ઊંચા જીવનધોરણથી લોકો માનસિક રીતે માંદા પડે છે.
પણ સીગી ઊંચું જીવનધોરણ તો ગમેને? એ તો અત્યારના સમાજનું ધ્યેય છે. – મેં પૂછ્યું.
એને કારણે એટલાં બધાં માનવમૂલ્યો નાશ પામે છે.
ક્યાં?
અમે ભૌતિક ચીજવસ્તુઓ વડે માનવપ્રેમને દૂર કરીએ છીએ એટલે કે માનવપ્રેમને બદલે ભૌતિક ચીજવસ્તુઓથી ચલાવીએ છીએ.
પેટ્રાએ સીગીને અટકાવી, ચલાવતા નથી ચલાવવાની આશા રાખીએ છીએ. મેં પૂછ્યું, જરા વિગતથી વાત કર.
જો તમારે કોઈ મુશ્કેલી કે સમસ્યા ઊભી થાય તો અમારા સમાજમાં તમે કે તેનો ઉકેલ શોધવાને બદલે પરિસ્થિતિ બદલી નાખો છો. નવા મિત્રો બનાવો છો, કે નવી જગાએ રહેવા જાઓ છો, કે નવી નોકરી લો છો. આમાં સમસ્યાથી માત્ર દૂર ભાગો છો. તે ઉકલતા નથી. એટલે લોકોને સુખ નથી મળતું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org