________________
વ્યાપક બેકારીના સ્થાને સાર્વત્રિક રોજગારી શક્ય છે / ૧૧
સમાજને કઈ વસ્તુ કે સેવા જરૂરી અને પસંદ છે જે પોતે બનાવી શકે. એથી આ પદ્ધતિ અનંત વિકાસ સુધી લઈ જનારી છે.
આ પ્રમાણે અત્યારે ગામડાંમાં જે વ્યાપક બેકારી અને તેમાંથી પરિણમતી કારમી ગરીબાઈ છે એની જગાએ જો આ કરોડો લોકો કંઈ ને કંઈ ઉપયોગી કામધંધા કરી શકે તો ગામડાંમાં અઢળક સંપત્તિ સર્જી શકાય.
આ જાતની વસ્તુવિનિમયની વાત ઘણા જણ આજના જમાનામાં અસંભવ અને અવ્યવહારુ ગણે છે; પરંતુ વસ્તુવિનિમય શરૂ કરવા માટે ગામડામાં કાપડનું ઉત્પાદન ન કરીએ તો પણ ગામડામાં કાપડનું ઉત્પાદન શરૂ થાય એટલે વસ્તુવિનિમય આપોઆપ શરૂ થાય છે. કાપડનું ઉત્પાદન તો રોકડા નફાના હેતુથી કરવાનું છે કે એક કિલો ટૂંકા તાંતણાના રૂમાંથી, જેનો ખર્ચ રૂા. ૨૦ જેટલો છે, એક કિલો એટલે કે આઠ ચોરસ મીટર સુંદર છાપેલું કાપડ બનાવી શકાય જેની કિંમત રૂા. ૨૦૦ જેટલી છે. એ માટે રેંટિયો પણ ગામડામાં જ માત્ર પાંચેક રૂપિયાને ખર્ચે બની શકે જે ઘરડાં પણ ચલાવી શકે. આ નફા માટેના વ્યવહારિક હેતુથી ગામડામાં કાપડનું ઉત્પાદન શરૂ થાય તો એ પછી બાકીના લોકો આ કાપડ મેળવવા પૈસાને બદલે વસ્તુ કે સેવા ઑફર કરવાના. અને કાપડના ઉત્પાદકો પણ આ ઑફર આવકારવાના કારણ કે એમને એ રીતે કાપડના બદલામાં, દાખલા તરીકે, જેટલાં નળિયાં મળે એના કરતાં એ કાપડ વેચીને પૈસા લઈને એ પૈસામાંથી બજારભાવે ઓછાં નળિયાં મળે, કારણ કે નળિયાં પણ સ્થાનિક ધોરણે બજારભાવ કરતાં ઘણાં સસ્તાં બની શકે. આમ ગામડામાં કાપડ બને તો બાકીના લોકો અત્યારે બહારી પૈસા આપીને કાપડ ખરીદે છે તેને બદલે વસ્તુવિનિમય શરૂ કરે. વસ્તુવિનિમય એ ગામડામાં સ્થાનિક કાપડ બનાવવાનો ઉદ્દેશ ન ગણો તો પણ એનું સ્વાભાવિક પરિણામ છે. પરંતુ એ પરિણામ એટલું બધું લાભદાયી છે, અત્યારની સાર્વત્રિક બેકારીની જગાએ એ સાર્વત્રિક રોજગારી લાવે છે તેથી, કે સસ્તું કાપડ મેળવવાના મૂળ ઉદ્દેશ કરતાં પણ એ વધુ લાભદાયી નીવડે.
લોકો પૈસાની તંગીને કારણે સમૃદ્ધિ પ્રાપ્ત કરી શક્તા નથી એ દબાણ દૂર કરવા ઘણા દેશોમાં, ઈંગ્લૅન્ડ અને કેનેડા જેવા ઔદ્યોગિક દેશોમાં પણ, સ્થાનિક વસ્તુવિનિમય યોજના – લોલ એમ્પ્લોયમેન્ટ ટ્રેડિંગ સિસ્ટમ: લેટ્સ - શરૂ થઈ છે. રેંટિયા-સાળની રીત એના કરતાં આગળ છે કારણ કે જો અને જ્યાં સુધી ગામડામાં કાપડ ન બને તો અને ત્યાં સુધી લોકોને તેમના મુખ્ય ખર્ચ કાપડ માટે રોડ પૈસાની જરૂર રહેવાની. અને આ રોડ પૈસા મેળવવા માટે એમને અત્યારના તંત્ર પાસે હાથ જોડીને નોકરી કે મજૂરી શોધવી પડવાની. પરંતુ ગામડામાં જો વગર પૈસે કાપડ બને તો લોકોની પૈસાની મોટા ભાગની જરૂર ઓછી થઈ શકે અને બાકીના બધા લોકો અત્યારે કાપડ ખરીદતા હોવાથી તે સહ્ પોતપોતાના ધંધા શરૂ કરી શકે. વગર પૈસે આ અર્થતંત્ર લોકોને ઉત્તરોત્તર વધુ ને વધુ સમૃદ્ધ કરી શકે. પૈસાનો સકંજો દૂર થવાથી લોકોમાં એક્બીજા સાથે ભાઈચારો અને શાંતિ પણ સ્થપાઈ શકે.
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org