________________
સ્વપ્નો વેચવાં છે
‘સ્વપ્નો વેચવાં છે’ – ડ્રીમ્સ ફોર સેલ એક યુવકના શર્ટ.પર લખેલું હતું! આજના જમાનાએ યુવાનો પર કેવી કારમી બેકારી લાદી છે! કેવી લાચારી, કેવી નિરાશા, જીવનની કેવી વિડ્લતા એમને ઘેરી વળી છે!
વધારે દુ:ખદ વાત તો એ છે કે યુવાનોની બેકારી અંગે કોઈને જાણે કંઈ પડી નથી! એ દિશામાં કોઈ પ્રયત્નો નથી થતા. અને પ્રયત્નો કરવામાં આવે તો પણ એ સફ્ળ નથી થતા.
સરકાર જ્યારે આર્થિક પ્રગતિની વાત કરે છે ત્યારે એનો અર્થ ઔદ્યોગિક કંપનીઓનું ઉત્પાદન અને ના વધે એ છે. એ માટે ઊંચી ટેક્નોલોજી એટલે કે આધુનિક યંત્રો વાપરવાનું યોગ્ય ગણાય છે પણ એનાથી બેકારી વધે તેની ગણતરી નથી થતી.
આનું મૂળ કારણ એ છે કે બબ્બે સૈકાઓથી, યંત્રોદ્યોગની ક્રાંતિ ઈંગ્લૅન્ડમાં થઈ ત્યારથી, આર્થિક પ્રગતિનો અર્થ આ જ પ્રમાણે થતો આવ્યો છે. બેકારી અંગે અર્થશાસ્ત્રીઓએ કોઈ ચિંતા નથી કરી. એમનું તો ધ્યેય છે ઉત્પાદન તથા ના, અને એ વધારવા માટે મોટાં ને મોટાં યંત્રોનો વપરાશ. પરંતુ યંત્રોથી થતા ઉત્પાદનને કારણે જે વ્યાપક બેકારી પરિણમે છે એને અંગે અર્થશાસ્ત્રીઓ પાસે કોઈ જ ઉપાય નથી. બીજી બાજુ, પ્રજાને ગંજાવર અર્થવ્યવસ્થાને કારણે મોંઘવારી વધતી જાય છે જેને અંગે પણ અર્થશાસ્ત્રીઓ પાસે કોઈ ઉપાય નથી.
અમેરિકા, જાપાન, ઈંગ્લૅન્ડ અને બીજા યંત્રોદ્યોગના દેશો હવે પોતાને ત્યાં બેકારી આવી ત્યારે કબૂલ છે કે યંત્રો દ્વારા ઉત્પાદનને કારણે બેકારી પરિણમે છે જેનો ઈલાજ મળતો નથી. હવે તેઓ પોતાનો ત્યાંના અઢળક ઉત્પાદનની પહેલાંની જેમ નિકાસ નથી કરી શક્તા એટલે એમને ત્યાં બેકારી આવી છે. પરંતુ અત્યાર સુધી તેઓ પોતાનો માલ એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકામાં ઠોક્તા હતા એને કારણે એ ખંડોના દેશોમાં બબ્બે સૈકાઓથી બેકારી વધતી હતી એ એમને નહોતી દેખાતી! એમની પ્રજા માટે તો એ બીજા દેશો ક્ષિતિજની પેલી પાર એટલે બધે દૂર હતા કે એમને એનો ખ્યાલ પણ નહોતો આવ્યો કે પોતાને ત્યાંના ઉત્પાદનને કારણે બીજી પ્રજાઓ બેકારીમાં હોમાય છે. તેથી તેઓ પોતાના અર્થતંત્રને વિકસિત માનતા હતા. હવે એમના માલનું પરદેશોમાં વેચાણ ઘટવાથી એ બેકારી પોતાના ઘરઆંગણે આવી છે ત્યારે એમનો ભ્રમ ભાંગ્યો છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org