________________
હું ક્રોધાગ્નિથી બળ્યો વળી લોભ સર્પ ડેસ્યો મને, ગળ્યો માનરૂપી અજગરે હું કેમ કરી ધ્યાવું તને ? મન મારું માયાજાળમાં મોહન મહા મૂંઝાય છે , ચડી ચાર ચો રો હાથમાં, ચેતન ઘણો ચગદાય છે. ૫. મેં પરભવે કે આ ભવે પણ હિત કાંઈ કર્યું નહીં, તેથી કરી સંસારમાં સુખ અલ્પ પણ પામ્યો નહીં; જન્મો અમારા જિનજી ! ભવ પૂર્ણ કરવાને થયા, આવેલ બાજી હાથમાં, અજ્ઞાનથી હારી ગયા.૬ .
અમૃત ઝરે તુજ મુખરૂપી ચંદ્રથી તો પણ પ્રભુ, | ભીંજાય નહિ મુજ મન અરેરે ! શું કરું હું તો વિભુ; પથ્થર થકી પણ કઠણ મારું મન ખરે ક્યાંથી દ્રવે, મરકટ સમા આ મન થકી હું તો પ્રભુ હાય હવે..૭. ભમતા મહા ભવસાગરે પામ્યો પસાથે આપના, જે શાન દર્શન ચરણ રૂપી રત્નત્રય દુષ્કર ઘણા; તે પણ ગયા પ્રમાદના વશથી પ્રભુ કહું છું ખરું, કોની કને કિરતાર આ પો કાર હું જઈને કરું ?...૮ ઠગવા વિભુ આ વિશ્વને વૈરાગ્યના રંગો ધર્યા, ને ધર્મના ઉપદે શ રંજન લો કને કરવા કર્યા; વિદ્યા ભણ્યો હું વાદ માટે કેટલી કથની કહું ? સાધુ થઈને બહારથી દાંભિક અંદરથી રહું. ૯ મેં મુખને મેલું કર્યું, દોષો પરાયા ગાઈને, ને નેત્રાને નિદિત કર્યા પરનારીમાં લપટાઈને;
balternational
૭૬ છે
For Persona Pate Use Only
www.
org