________________
જે ગુણ થકી અભિમાન જાવે જ્ઞાન આવે નવ નવું, શાસનતણું તે મૂળ દશવિધ વિનયપદને વંદના. (૧૦) આરાધનાનું અવતરણ આનંદનું વહેતું ઝરણ સાવદ્ય સઘળી પાપકરણીઓ તણું જયાં વિસ્મરણ મારા પ્રભુ ની જીવનશૈલીનું જ ક્યાં છે અનુસરણ ભયમુક્ત ભાવે યુક્ત તે ચારિત્રપદને વંદના. (૧૧) ક્રોડો સુવર્ણના દાન પણ કહી જે હની તોલે નહીં જે ગુણ થકી ગૃહીને શ્રમણસમ કેવલી બોલે અહીં વ્રતવૃન્દમાં દીપક સમું વ્રત જે કહાં શાસ્ત્રો મહીં ગુણ સકલમાં આશ્ચર્ય સમ બ્રહ્મચર્યને વંદના. (૧૨) જે સર્જિયાના બળ થકી મેં વિશ્વમાં ગુણવંત છે વળી જે ક્રિયાના શુભ પ્રભાવે જીવનમાં હે વસંત છે જો ભાવયુક્ત ક્રિયા બને તો ભવતણો મુજ અંત છે પ્રભુએ પ્રરૂપી ધર્મરૂપી સક્રિયાને વંદના. (૧૩) સંજ્ઞાતણું વર્ચસ્વ જે તોડે ખરેખર આપણું કમો નિકાચિત નિઝરે સાધન જુઓ આતમતણું વળી જેહના સેવન સમય લાગે સદા પોતાપણું સવોચ્ચ મંગલરૂપ જે તે ત૫૫દે કરુ વંદના. (૧૪) છે નામ મંગલમય સદા પ્રાતઃ સમય લેવા સમું વિનય કરી જેને વરી લબ્ધિ સકલ તેને નમું સંપૂર્ણ શિષ્યત્વે કરી જે પૂગરતા પામતા ગણધર પદે અતિશાયી તે ગૌતમ પદે કરુ વંદના. (૧૫)
| પૃષ્ઠ 3
Jain Education International
For Personal & Private Use Only
www.jamemorary.org