________________
પાપી-અધમ મહાધાતકી, જીવો પ્રત્યે જરી રોજના, અપમાન કે સન્માન હો, હૃદયે જરી સંતાપના; તનમાં વ્યાધિ મનમાં સમાધિ, મંત્ર વસે જીવનમાં એવા પ્રભુ મહાવીરને, ભાવે કરું હું વંદના...૧૧ ઋ જુવાલિકા નાદીને તટે, કરે નાશ મિથ્યાતિમિરનો, વૈશાખ સુદિ દસમીદિને, પ્રગટે સૂરજ કૈવલ્યનો દીયે મધુરી દેશના, જુએ ભાવ લોકાલોકનો. એવા.૧૨ પ્રથમ દેશના જાણી નિષ્ફળ, પાવાપૂરી પધારતાં, કરુણા હૃદયે બની વિશ્વમાતા, સહુ જીવો ઉગારવા; વૈશાખ-સુદિ ગ્યારસ-દિને, કરે સ્થાપના શાસનતણી.. એવા.૧૩ વાદ કરવા આવ્યા ગૌતમ, હૈયે અભિમાન ધરી, પટધારી પોતાનો બનાવ્યો, માન હણી સંશય હરી, જળક્રીડા કરતાં અઈમુત્તા, મુનિને દિયે મુક્તિપુરી.. એવા.૧૪ અડદતણાં બાકુળા લઈને, તારી બાળા ચંદના, સાધ્વીમાં શિરો મણિ બનાવી, સ્થાપી શાશ્વતધામમાં ; જે ચરણે આવી શરણ ગ્રહે, કર્મો શમે બહુકાળનાં...એવા.૧૫ કરૂણાથી મેઘકુમાર મુનિને, સંયમે સુસ્થિર કરી, વ્યાસી દિવસ ગર્ભ રહ્યા , માત-પિતા દિક્ષિત કરી; મુક્તિગમન કીધું કરાવે, ભવિજીવને શાસન દઈ.. એવા.૧૬ સર્વજીવો સરખા કહી, ઊંચ-નીચ ભેદ મીટાવતાં, કમો ભલે બૂરા-ભલા પણ, આતમ સરીખો ગણાવતાં; , અહિંસા તણો સંદેશ આપી, જગમાં શાંતિ સ્થાપતા. એવા.૧૭
૪ ૩૯ 3 Forso
Jain Education International
www.jainelibrary.org
Private Use Only