________________
દેશના દીયે સહસ બાવીશ, ત્રીસ વરસ કેવલી પણે, વાત્સલ્ય તારું પામવા, સહૂં તુમ શરણે આવી નમે; તમને મળ્યું એ સૌનું માનો, અર્પતા એ વચનને...એવા.૧૮ નિર્વાણકાળ સમીપ જાણી, સોળપ્રહર દીયે દેશના, પુણ્ય-પાપ કેરા ફળ બતાવી, વીર સીધાવે મોક્ષમાં; દિવાળી પ્રગટે અમાસની, એ ભાવદીપક બૂઝતાં.. .એવા.૧૯ ત્રિશલાનાં નંદન વીરપ્રભુ, અનંતગુણનાં સાગરું, અક્ષયસુખમાં મ્હાલતા, અનંતજ્ઞાન દીવાકરું; અંતરાયનાશે પ્રગટે, અનંતવીર્ય આતમતણું.. .એવા.૨૦ સાગર દયાના છો તમે, કૃપાતણાં ભંડાર છો, શબ્દોથી ગાઈ ના શકું, અનંતગુણ નિધાન છો; ભવસાગરે ભમતા જીવોના આપ તારણહાર છો...એવા.૨૧ જે પ્રભુનાં નામ શ્રવણે, કર્ણ મુજ પુનિત બને, જે પ્રભુનાં ગુણ કથને, જીવા આ સફળ બને; જે પ્રભુનાં દર્શને મુજ દેહ, રોમાંચિત બને...એવા.૨૨ રાગ અવિહડ હો શાસનનો, શક્તિ આપો પરમાત્મા, તુજ ભક્તિમાં હું લીન બનું, જીવન વીતે પરમાર્થમાં; અભિલાષ એક જ પૂર્ણ કરજો, આવો મનમંદિરમાં...એવા. ૨૩ શાસનનાયક વીરજી, મુજ વિનતી અવધારજો, અપરાધી તાર્યા તિમ મુજને, હાથ ઝાલી ઉગારજો; અવિલંબે મુજ કર્યો ટળે, આશિષ એ વરસાવજો, ‘‘ગુણરત્ન’’પામી ‘મુનીશ’’ બનાવી,મુક્તિમાં મને સ્થાપજો. .એવા. ૨૪
Jain Education International
૪૦
For Personal &vate Use Only
www.jainelibrary.org