________________
ફાગણ વદી આઠમ દિને મંડાણ વરસીતપ તણું વૈશાખ સુદ ત્રીજને થયું હતું, હસ્તિનાપુરે પારણું દિન ચારસોનો વારસો ચિહું જગતમાંહે વિસ્તરો વરસોપવાસી ઋષભજી મુજ જીવનમાંહે અવતરો...૧૯ આગોતરું કોઈ આયોજન નહીં, ના અલાભે દીનતા ‘કચારે મળે ?’ ‘કચાંથી મળે ?' એવું કદી ન અપેક્ષતા ને ઈક્ષુરસ લેતાં ન હર્ષોલ્લાસ અહો ! સમતાધરો...વ.૨૦ કરું અરજ કે પ્રભુ ! આપની ધીરજ મને આવી મળે ધારી સફળતા ના મળે ત્યાં જીવ કયારે ન બળે તે દિન થકી મુજ જીવનમાં સુખનો સૂરજ ઊગશે ખરો...વ.૨૧ જબ ઈષ્ટવસ્તુ ના મળે ત્યારે સ્મરણમાં આવજો, ધૈર્ય ધન ખૂટે યદા સ્થિરતા પ્રભુજી આપજો કીધા વિના તપ કીધેલો માનીશ હું પ્રભુ માહરો...વ.૨૨ ઋષભજીના પગલે પગલે કંઈક સાધક ચાલતા વરસા લગે આરાધકોના વૃન્દ્ર જેને સાધતા વર્ષી તપસ્વી સર્વની અનુમોદના હૈયે ભરો...વ.૨૩ ચારે પ્રભુ ! આપે ગ્રહેલા જીવનને પામી શકું ક્યારે તમોએ આદરેલા તપપથે ચાલી શકું મુજ સત્ત્વ ગયું અસ્તાચલે પ્રભુ ! ઉદય ફરી તેહનો કરો...વ.૨૪ ગુણ પામવા ભિક્ષુક બની ભમતો અનાદિ કાળથી ગુણ પ્રાપ્તિ ક્યાંય ન થતી અવિરત તપસ્યા ચાલતી • ગુણ ઈક્ષુરસ વહોરાવવા શ્રેયાંસ થઈ આવો વિભુ !..... ૨૫
Jain B cation International
For Persche & Private Use Only
-૨૭
www.jainellby.org