________________
કોઈ જન દીયે શ્રેયાંસને તબ ઈક્ષ રસ ઘટશત ભરી ફરતા નગરમાં તે દિને તપસી પધાર્યા ગોચરી, થયો ચિત્ત વિત્તને પાત્રનો સંયો ગ, રૂડા અવસરો વરસોપવાસી ઋષભજી મુજ જીવનમાંહે અવતરો..૧૨ કોઈ પૂર્વભવમાં ઋષભને શ્રેયાંસ સાથે રહ્યા હતા બની યોગી સંયમજીવનના યોગો સહુ સાધ્યા હતા પ્રભુને નીરખતાં જાતિસ્મરણે કહે : “પ્રભુજી વાપરો”...વ.૧૩ લબ્ધિબળે કરગ્રહણ રસ કીધો પ્રભુ એ જે ક્ષણે અહોદાનની ઉદ્ઘોષણાદિક પંચ દિવ્યો પારણે જાણે અખિલ સૃષ્ટિમહીં પ્રસર્યો ખુશીનો વાયરો ....વ.૧૪ જે ઈક્ષખંડ થકી પ્રભુનો વંશ ઇક્વાકુ રહ્યો તે ઈશુ ના રસને ઋબુભદેવે સહજમાં કર ગ્રહો જેણે નિહાળ્યું દશ્ય આ બડભાગી તે સહુ નરવરો... વ.૧૫ શ્રેયાંસના સૌભાગ્યના જાણે ઊઘડતાં બારણાં ને ઈશુ રસના બુંદ બુંદે ભાગ્યના ઓવારણાં જેના થકી મારા પ્રભુના દીર્ઘતપનાં પારણાં,.. વ. ૧૬ આમ્રફળ મીઠા મધુરા ખજૂરને વળી દ્રાક્ષ પણ “કો ઈક્ષરસ તોલે નહીં' જાણે સમજતો વસ્તુ ગણ સહુ મિષ્ટ પણ મનોમન કહે, ‘તસ ભાગ્યની ઈર્ષ્યા કરો'.વ.૧૭ અવસર્પિણીના સૌ પ્રથમ તપને તપસ્વીને નમું, અવસર્પિણીના સૌ પ્રથમ સત્પાત્ર દાન તને નમું , દેજો અમોને પણ પ્રભુજી દાનના શુભ અવસરો, ...વ.૧૮
Jai Education International
ડ. For Persaal & Pipe Use Only
www.jainelibrary.org