________________
ભિક્ષાભ્રમણનો યોગ પણ ભિક્ષા ગ્રહણ નીપજયું નહીં, નિરપેક્ષભાવે વૈર્યધર નિશદિન રહે છે નિજ મહીં ધીરજતણી પ્રતિમા ખરે સંતૃપ્તિનો મહાસાગરો વરસોપવાસી ઋષભજી મુજ જીવનમાંહે અવતરો...૫ મણિ મોતી માણેકને વળી કોઈ રત્ન કેરા હારને કોઈ નિજસુતા કોઈ વલ્લભા, નવિ સૂઝતા આહારને સ્થિતપ્રજ્ઞને સુપ્રસન્ન વદને ભ્રમણ કરે ભિક્ષાચરો...વ. જેણે જગતને શીખવી આહારની ચર્ચા બધી ને દાખવી'તી પાકની વિદ્યા, ક્ષુધા તેને નડી છે કર્મનો સંદેશ કે “ભવિ ! કર્મબંધ થકી ડરો.”.વ.૭ નહીં અન્ન લાધ્યું હાથમાં જળબિંદુ નહીં કંઠે વહ્યું મનમાં થતું કે રાજવીનું પુણ્ય સઘળું કયાં ગયું ? થયો પ્રબળ પુરુષાર્થી પ્રભુનો એહવો તપ આકરો....વ.૮ કોઈ વૃષભને ભોજનતણો પ્રતિબંધ ઊપજાવ્યા થકી ત્યારે ઉપાજર્યું કર્મ તે અંતિમ ભવે રહ્યું ત્રાટકી ફળ તેહનું જોવા વૃષભ લંછનરૂપે થયો હાજરો... વ.૯ છે જીવની એવી દશા જયાં સફળતા મળતી નથી, ત્યાં દીર્ઘકાળ લગે કદી પણ ધીરતા ટકતી નથી લાગ્યું ન અન્ન છતાં તમે સંપૂર્ણ વર્ષ લગે ફરો...વ.૧૦ શ્રેયાંસજી જુએ સ્વપ્નમાં સ્થિરતા દીયતા મેરુને નૃપ શ્રેષ્ઠી પણ સુપનાંતરે પેખે મુદા તસ લાભને " સંકેતથી શ્રેયાંસ શિર સોહે સુભગ નવ સેહરો .. .વ.૧૧
Sau
For Pcsolal & Drivate Use Only
Jain Education International
www.jainelibrary brg