________________
જયાં છત્રી પંદર ઉજજવલા, શોભી રહ્યાં શિર ઉપરે, ને દેવદેવી રત્ન ચામર, વીંઝતા કરદ્ધય વડે ; દ્વાદશ ગુણા વર દેવવૃક્ષ, અશોકથી ય પૂજાય છે. એવા..૩૧ મહાસ્ય સમ તેજસ્વી શોભે, ધર્મચક્ર સમીપમાં ; ભામંડલે પ્રભુપીઠથી, આભા પ્રસારી દિગંતમાં ; ચોમેર જાનુપ્રમાણ પુષ્પો, અર્થ જિનને અર્પતા. એવા..૩૨ જયાં દેવદુંદુભિ ઘોષ ગજવે, ઘોષણા ત્રણ લોકમાં, ત્રિભુવન તણાં સ્વામી તણી, સૌ એ સુણે શુભદેશના; પ્રતિબોધ કરતા દેવ-માનવને વળી તિર્યંચને. એવા..૩૩
લોકોપકાર જ્યાં ભવ્ય જીવોના અવિકસિત, ખીલતાં પ્રજ્ઞાકમલ, ભગવંતવાણી દિવ્યસ્પર્શી, દૂર થતાં મિથ્યા વમળ ; ને દેવ દાનવ ભવ્યમાનવ, ઝંખતા જેનું શરણ. એવા..૩૪ જે બીજભૂત ગણાય છે, ત્રણ પદ ચતુર્દશપૂર્વના, ઉપેને ઈ વા વિગમે ઈ વા, ધુવેઈ વા મહાતત્ત્વના; એ દાન સુશ્રુતજ્ઞાનનું, દેનાર ત્રણ જગનાથ જે. એવા..૩૫ એ ચૌદ પૂવોને રચે છે, સૂત્ર સુંદર સાર્થ જે, તે શિષ્યગણને સ્થાપતા, ગણધર પદે જગનાથ જે ; ખોલે ખજાનો ગૂઢ માનવ, જાતના હિત કારણે એવા..૩૬ જે ધર્મ તીર્થંકર ચતુર્વિધ, સંઘ સંસ્થાપન કરે, મહાતીર્થ સમ એ સંઘને, સુર અસુર સહુ વંદન કરે; ને સર્વજીવો - ભૂતપ્રાણી - સત્ત્વ શું કરુણા ધરે એવા..૩૭
Jain Education International
( ૧૦ ? For kersonal Private Use Only
www.jaineraty.org