________________
પ્રભુ તે મને જે આપ્યું છે. પ્રભુ તે મને જે આપ્યું છે, તેનો બદલો હું શું વાળું ? . બસ તારી, ભક્તિ કરી કરીને, મારા મનડાને વાળું પ્રભુ...૧
પ્રભુ! નરકનિગોદથી તે તાર્યો, મને અનંત દુ:ખોથી ઉગાર્યો,
તારા ઉપકારો અનંતા છે, તેનો બદલો હું શું વાળું ? પ્રભુ....૨ અહીંલગી પહોંચ્યો, પ્રભુ તારી કૃપા, તુજ શાસન પામ્યો, તારી કૃપા જીન ધર્મ તણી બલિહારી છે, તેનો બદલો હું શું વાળું ? પ્રભુ....૩
પ્રભુ મોક્ષ નગરનો સથવારો, હું મોહનગરમાં વસનારો, તું ભવોભવનો ઉપકારી છે, તેનો બદલો હું શું વાળું ? પ્રભુ...૪
તારા શરણે આવ્યો છું.
તારા શરણે આવ્યો છું સ્વીકારી લે, મને લઇ જા પ્રભુ તારા ધામમાં તારુ શરણે પ્રભુ હું સ્વીકારું છું, મને લઇ જા પ્રભુ તારા ધામમાં... તારા
ઘડી ઘડી નાથ તારો વિરહ સતાવે, હું અહીં સબડું ને તું ત્યાં બિરાજે છે, ક્યાં રે હોતું હશે આવું પ્રેમમાં...તારા...૧ અંતરની વાત મારે, કોને જઈને કહેવી, હૈયાની વેદના મારે, કેમ કરી સહેવીર અંતરયામી છે, પ્રતીતિ કરાવી દે પછી.... ૨
ક્યારે મળે નાથ હું તો જોઉં તારી વાટડી, રોઈને રાતી થઈ છે, હવે મારી આંખડી, પદ્મનંદીની વિનંતી તું માની લે પછી. તારા...૩
Jain Education International
For Perena
te Use Only
www.jainelibrary.org