________________
જે ધરમ આચરીને, કરોડો તરી ગયા, આવો ધરમ અમૂલો ફરીને નહીં મળે... અવતાર...૪ કરશું ધરમ નિરાંતે, કહે તું ગુમાનમાં, જે જાય ઘડી તે ફરીને નહીં મળે... અવતાર...૫
બધી મિલકત
બધી મિલકત તને ધરું તો પણ, તારી કરુણાની તોલે ના આવે, તે મને પ્યાર જે કયો ભગવંત, મારાથી એનું મૂલ ના થાયે, જિંદગીભર તને ભજુ તો પણ, તારી મમતાને તોલે ના આવે, તે મને પ્રેમ જે દીધો ભગવંત, મારાથી એનું મૂલ ના થાય.....૧ અનાદિ કાળથી ભટકવામાં, કોઈ સ્થાને મિલન થયું તારું, યાતો ઉપદેશ મેં સુણ્યો તારો, જેને બદલી દીધું જીવન મારું, ભોમિયા તો ઘણા મળ્યા મુજને, કોઈ પ્રભુ તારી તોલે ના આવે, તેં મને રાહ જે બતાવ્યો છે, મારાથી એનું મૂલ ના થાય... ૨ મને સાચી સલાહ તે દીધી, એ થી આચરણ મેં કર્યું એનું, સાચી કરણી કરી કોઈ ભવમાં, આ ભવે ફળ મને મળ્યું એનું, મારા ઉપકારી છે ઘણાં જગમાં, કોઈ પ્રભુ તારી તોલે ના આવે, તે મને ધર્મ જે પમાડયો છે, મારાથી એનું મૂલ ના થાય...૩ મળ્યા છે જે સુખો મને આજે, એ બધા ધર્મના પ્રભાવે છે, તારા ચરણે બધું ધરી દેતાં, મને આનંદ અતિ આવે છે , તારું આ ઋણ ક્યારે ચૂકવાશે, મને અંદાજ એનો ના આવે, ભવોભવ સેવના કરું તારી, તોય સંતોષ મુજને ના થાયે..૪
(૨૩૯૨
Jain
connectioner
wwwalinelibrady.org