________________
ગ કરી જે આજ મેં, સમ્ય બની મુજને ફળો, પાપો કરું ના હું ફરી, એવી મને શક્તિ મળો, બહુમાન્ય આ મુજને બનો, ઇચ્છું સદા અનુશાસના, અરિહંત ભગવંતો તણી, ને ગુરુ તણી હિતશિક્ષણા...૧૬ નિત દેવગુરુ સંયોગ હો, સાચી બનો મુજ પ્રાર્થના, બહુમાન હો આનું મને, બને મોક્ષબીજ એ કામના, તે દેવગુરુ સાન્નિધ્ય મળતા કરીશ ભાવથી સેવના, અતિચાર વિણ આણા ધરીને પાર પામીશ ભવ તણા... ૧૭
સુકૃતાનુમોદન સંવિજ્ઞ થઈ યથાશક્તિએ, કરું સુકૃતની અનુમોદના, જે ધર્મ અનુષ્ઠાનો સવિ, અરિહંત ભગવંતો તણા, શાશ્વત સ્વરૂપે સ્થિર જે, શુભભાવ સવિ સિદ્ધો તણા, તન-મન-વચનથી હું કરું, તસ ભાવથી અનુમોદના...૧૮ જે સર્વ આચાર્યો તણા, શુભ પંચવિધ આચારની ને સર્વ ઉવજઝાયના, સ્વાધ્યાય વળી શ્રુતદાનની, દશઅષ્ટસહસ શીલાંગ યુત, યતિધર્મ જે સવિ શ્રમણના, તન-મન-વચનથી હું કરું, તસ ભાવથી અનુમોદના...૧૯ સવિ શ્રાવકો ને શ્રાવિકાના મોક્ષસાધક યોગની, ને દેવ - દાનવ-ભવ્યમાનવ-અલ્પભવી સવિ જીવની, માર્ગાનુસારી કૃત્યની, જેથી લહે ફળ શિવ તણા, તન-મન-વચનથી હું કરું, તસ ભાવથી અનુમોદના...૨૦
Jain ducation International
For p
r ivate Use Only
www.alibrary.org