________________
Jain Education
મંગલ
સંસાર સ્વરૂપ
ople slhh
પંચસૂત્ર પરિભાવના
પ્રથમ સૂત્ર
(રાગ - મંદિર છો મુક્તિ તણાં) જે ચાર ભેદો ધર્મના, પ્રભુ તે બતાવ્યાં વિશ્વમાં, વળી તેહમાં શિરદાર ને, નાયક સમો જે જગતમાં, તિહુંકાળમાં પણ જીવની, મુક્તિ નથી જેના વિના, શ્રી પંચત્ર થકી કર્યું, તે ભાવધર્મ આરાધના...૧ વીતરાગ સર્વજ્ઞ વળી, દેવેન્દ્રથી પૂજિત જે, વસ્તુ યથાસ્થિત ભાખતા, ત્રૈલોક્યગુરુ અરુહંત જે, ચોત્રીશ અતિશય ધારકા, ભગવંત જે ત્રણ ભુવનના, તે જગપતિ અરિહંતને, કરું ભાવથી હું વંદના...૨ કૈવલ્યમાં નિરખી કહે, ભવિજીવને ૫૨માતમા, વસતા અનાદિકાળથી, સવિ જીવ આ સંસારમાં, ભવસાગરે તસ ભવભ્રમણ, પણ છે અનાદિકાળના, તસ મૂળ કારણ છે અનાદિકર્મની સંયોજના...૩ દુઃખરૂપ ને દુઃખફળપ્રદા, દુ:ખાનુબંધિ જગ સદા, તેનો કરે વિચ્છેદ જે, લહે શુદ્ધધર્મની સંપદા, તે શુદ્ધધર્મની પ્રાપ્તિ પણ, લહે પાપના વિગમન થકી, કરે પાપવિગમન પણ તથાભવ્યત્વના પરિપાકથી...૪
ભાષે પ્રભુ પરિપાક સાધન તે તથાભવ્યત્વના, અરિહંત-સિદ્ધ-સુશ્રમણ ને, શરણાં ગ્રહો જિનધર્મના, ઈહ-પરભવકૃત દુષ્કૃતોની ભાવથી કરો ગર્હણા, સત્કૃત્ય જે સવિ જીવકૃત, તેની કરો અનુમોદના...૫
૨૧૧૩
jainelibrary.org