________________
પ્રવચન સુધા વરસાવીને યુવા હૃદય પરિવર્તન કર્યું, રસના વિજેતાનું બિરુદ સૂરીશ્વરે અર્જન કર્યું, અતિતીવ્ર મેઘાના બળે શાસ્ત્રો તણું સર્જન કર્યું, એવા ગુરૂ શ્રી ભુવનભાનુ સૂરિ ચરણમાં વંદના... ૩૫ શાસન તણા ઉદ્યાનમાં, કંઈ કેટલાં પુષ્પો ખીલ્યા, તેમાંહી આગમપ્રજ્ઞ સૂરીશ્વર, સુરભિ પુષ્પ સમા મળ્યા સાગર સમી ગંભીરતાથી, સંઘ હિત કાર્યો કર્યા એવા ગુરુશ્રી જયઘોષસૂરિજીના ચરણમાં કરૂ વંદના...૩૬ મેવાડ પગરણ માંડીને, જિનધર્મ ને સમજાવતા સમતા સમાધિ સહિષ્ણુતા નો, માર્ગ સહુ ને બતાવતા મુખડું સદા પ્રસન્ન રહેતું, કષ્ટો અધિકા વેઠતા, એવા ગુરૂ શ્રી જીતેન્દ્રસૂરિજીના ચરણમાં કરૂં વંદના..૩૭ ગુણવારિધિ, શુદ્ધસંયમી તારક બન્યા જે શિષ્યોના ગુણવૈભવે સૂરિ પ્રેમની જેણે કરી હતી સેવના ગુણની સુવાસ પ્રસારતા એ સારથી બને મોક્ષના એવા ગુરૂ શ્રી ગુણરત્નસૂરિજીના ચરણમાં કરું વંદના...૩૮ તીર્થકર સમ સૂરીશ્વરા, ગુણો ની તુલના થાયના, મનના મલિન ભાવો નિહાળે, તો યે અમ પર રોષ ના ગુણરૂપી રત્નો પ્રાપ્ત કરવા, આશિષની કરું યાચના ઉપકારકારી સર્વ સૂરીશ ચરણે "મુનીશ" ની હો વંદના...૩૯
Jain Education International
For Perdonerate Use Only
www.jainerary.org