________________
વ્યાકરણ સાહિત્ય ન્યાય કે દર્શનવળી યોગસૂત્ર પર શાસ્ત્રોતણો આપ્યો ખજાનો તત્ત્વથી જેણે સભર કલિકાલના સર્વજ્ઞને કુમારપાલ પ્રતિબોધતા શ્રી હેમચંદ્રસૂરિ ચરણમાં ભાવથી કરૂ વંદના...૨૦ દેવેન્દ્રસૂરીશ્વરજી કરે ઉદ્ધાર કર્મગ્રંથનો શ્રી ધનેશ્વરસૂરિ લખે મહિમા શ્રી શત્રુંજય તણો જિનભદ્રગણી ક્ષમાશ્રમણ સિદ્ધર્ષીની કરૂં સેવના શ્રી ભાવાચાર્ય ચરણકમલમાં ભાવથી કરૂં વંદના...૨૧ છ વર્ષની લઘુવય મહીં જેઓ કરે સંયમગ્રહણ લક્ષ્મી - સરસ્વતી માતા દીયે જેહને દર્શન સ્વયં દશવર્ષની વય માત્રમાં જેઓ સૂરિ પદ પામતા શ્રી બપ્પભટ્ટસૂરીશ ચરણે ભાવથી કરૂં વંદના...૨૨ જ્યારે થયા જિનબિંબ ઉપર મહાભયાનક આક્રમણ ત્યારે તે રક્ષામાં થયા બત્રીસ શિષ્યોના મરણ તો પણ હૃદયમાં રાખતા રક્ષા તણી સંકલ્પના શ્રી યક્ષદેવસૂરીશ ચરણે ભાવથી કરૂં વંદના...૨૩ મહાતીર્થ શત્રુંજય તણો ઉદ્ધાર ચૌદમો જે કરે અંજનશલાકાથી ઋષભજિન સાત શ્વાસોશ્વાસ લે નિઃસ્પૃહતા ને પુણ્યથી સૂરિ પાંચસે કરે અગ્રતા શ્રી વિદ્યામંડન સૂરિ ચરણે ભાવથી કરૂ વંદના...૨૪
Jain Education Internat
૧૯૯
For Perospar Private Use Only
tary.org