________________
અહિંસક અને ધર્મી બનાવ્યા તે જગદ્ગુરુને સંસ્મરૂ મહાસંયમી ચે હીરસૂરીશ્વર તણું સ્મરણ કરૂં તપાગચ્છના સુવિશાલને સુવિહિત મહાસમ્રાટ જે શ્રી હીરસૂરીશ્વર ચરણમાં કરૂ ભાવથી હું વંદના...૧૫ સર્જન કર્યું એક શ્લોક માત્રાના શ્રવણથી મહાગ્રંથનું દ્વાદશારનયચક સર્જક મલવાદીને નમું સમ્રાટ વિક્રમ પ્રતિબોધક સિદ્ધસેન દિવાકરા શ્રી ભાવાચાર્યસૂરિ ચરણમાં ભાવથી કરૂ વંદના...૧૬ સ્વામી સીમંધર જેહવું નિગોદનું વર્ણન કરે તેવું જ વર્ણન ભરતમાં આયરક્ષિતસૂરિ કરે વિદેહના એ નાથની શ્રતધર કરે ઈમ તુલના આર્યરક્ષિતસૂરિ ચરણમાં ભાવથી કરૂ વંદના.૧૭ અંજનપ્રતિષ્ઠામાં કરાયે પાદલિપ્ત વિધાન જે તે ના પ્રણેતા જે સૂરીશ્વર યોગસિદ્ધિ નિધાન છે. આકાશમાગે રોજ કરતા પંચતીર્થની સ્પર્શના પાદલિપ્તસૂરિ ચરણમાં કરૂં ભાવથી હું વંદના...૧૮ નવાંગી ટીકા કાજે જેઓ પામતા વરદાનને ધરણેન્દ્ર ને પદ્માવતીની પામતા સહાય જે પ્રભુ પાર્શ્વ સ્તંભનનું કર્યું પ્રાગટ્ય કરી આરાધના શ્રી અભયદેવસૂરિ ચરણમાં ભાવથી કરૂ વંદના...૧૯
Jain Educon International
For Persbacetate Use Only
www.labrary.org