________________
Jain Education
શ્રમણી મુખેથી શ્રવણ માત્રથી અંગ એકાદશ ધરે ને પારણામાં પોઢતા વૈરાગ્યના રંગો ધરે ત્રણ વર્ષના દીક્ષિત મુનિવર યુગપ્રધાન કહાવતા શ્રી વજસ્વામી ચરણ કમલે ભાવથી કરૂં વંદના...૧૦ જયાદિ દેવીઓ કરે જેને અહર્નિશ વંદના લઘુશાંતિની રચના વડે, કરે મહામારી નીકંદના ખડ઼ે વિગઈના ત્યાગી સૂરિ પામ્યા જગતમાં નામના શ્રી માનદેવસૂરિ ચરણમાં ભાવથી કરૂં વંદના...૧૧ ચૌદસો ચુમ્માલીસ ગ્રંથોની રચના સૂરિજીએ કરી અતિ સૂક્ષ્મને અતિગહન શાસ્ત્રોના રહસ્યોને ધરી ઉપકાર કીધો સંઘ પર ન કરાય જેહની વર્ણના હરિભદ્રસૂરીશ્વર ચરણમાં ભાવથી કરૂ વંદના...૧૨ યાત્રા કરી મહાતીર્થ અષ્ટાપદ તણી જે ગુરુવરે તે વીરસૂરીશ્વરચરણમાં વંદના કરીએ અમે આયંબિલ યાવજીવ કરી જે તપા બિરૂદ ધારતા શ્રી જગચંદ્રસૂરિ ચરણમાં ભાવથી કરૂ વંદના...૧૩ શ્રી ધર્મઘોષસૂરીશ્વરાજે ધર્મઉદ્ઘોષણ કરે પેથડ મહામંત્રી હૃદયમાં ધર્મનું સિંચન કરે તપાગચ્છ રક્ષક માણીભદ્ર સુરેન્દ્રને પ્રતિબોધતા આનંદવિમલસૂરિ ચરણમાં ભાવથી કરૂ વંદના...૧૪
૧૯૭
www.jainelibrary.org