________________
જિનમૂર્તિનો મહિમા બતાવી, શ્રદ્ધા સહુની જગાવતા, ૨૨૦ જિનાલય પ્રતિષ્ઠા જિણોદ્વાર ૩૦૦ કરાવતા, ઉપકાર જાણી મેવાડવાસી, પ્રભુ સમ ગણી પૂજતા. એવા...૬ ગંભીરતા ગુણે કરી છે, આત્મ શુદ્ધિ કરાવતા, કરૂણાનજરથી નિરખી, વાત્સલ્ય ઝરણું વહાવતા, સંકટ - વિકટ સમયે રહે, મુખ પર સદાયે પ્રસન્નતા. એવા...૭ ૧૦૮ શિષ્યો, ૨૦૦ શ્રમણી ગણના ધારક જે હતા હિત - વાંચનામૃત દાનથી, સમુદાયને સંતોષતા, ગુણરત્નસૂરિના વડિલબંધુ, જિતેન્દ્રસૂરિજી રાજતા. એવા.....૮ સુરતમાં અંતિમ ચોમાસુ, ૫૩ વર્ષની સાધના, મહારોગનું નિદાન પણ, મુખરેખાઓ બદલાયના ડૉક્ટરો બોલી ઉઠ્યા અમે, હસ્તી દેખી લાખોમાં. એવા.....૯ અપૂર્વ સમાધિ નિહાળીને, સહુ મુક્ત કંઠે ગાવતા, આ નર નહી નરવીર બની, સહેતા અસહ્ય વેદના, મૃત્યુનો ભય મનમાં નહી, પળ આખરી પ્રભુ ધ્યાનમાં. એવા....૧૦ પૂર્વ કોઈ સંકેતથી કુલચંદ્રસૂરિજી પધારીયા, નવકાર શ્રવણે પુણ્ય મુનિગણ, નિર્ધામણા કરાવીયા, આસો સુદી બીજ રાત્રી સમયે ૮૩ વર્ષે થયું ગમન. એવા....૧૧ અગણિત ઉપકારો કીધા, અમ અંતરે ભુલાય ના ગુણ’ સ્મૃતિથી પ્રતિમા સ્વરૂપે, હૃદયમાં સ્થાયી થયા, મુનીશ” માંગે સ્વર્ગથી વરસાવો, આશીષ મુક્તિના. એવા....૧૨
(૧૯૪૬
Jain Education International
For Lersonal Private Use Only
www.jainelibrary.org