________________
સૂરિ જિતેન્દ્ર વંદનાવલી.
હિરાચંદ પિતા માત મનુબા, જેઠમલ નંદ દીપતા, જનમીયા રાજસ્થાનમાં, પાદરલી ગામ શોભાવતા, યૌવનવયે વિવાહ પણ, સંસારે મન ન માનતા, એવા ગુરુ જિતેન્દ્રસૂરિજીને, ભાવથી કરૂં વંદના... મારા ગુરૂ ...૧ આયંબિલ કરીને લગ્ન દિવસે સંયમની કરે ઝંખના એ ચિં તને અવિરત રહી, કર મોહનીયની અલ્પતા, ચૌદ માસનો બાળક ત્યજી, વિરતિનો માર્ગ સ્વિકારતા.. એવા....૨ ભુવન- ભાનુ સૂરિના શિષ્ય, જિતેન્દ્રવિજય મુનિ બને સૂરિ પ્રેમના આશિષથી, સ્વાધ્યાયમાં લયલીન રહે, વિરાગ ધરી નિજપત્નિ પણ, મમતા ત્યજી સંયમી બને. એવા...૩ સળંગ અટ્ટમ ચારસો, કરતા એ રાગી તપ તણા, પરવા ન કરતા દેહની, ગુરુભક્તિ કરે ઉલ્લાસમાં, તપયોગ સહ વિહારમાં, ગુરુ ડોળીને વહનાર રે.. એવા...૪ સૂરિપ્રેમના મનોરથ પૂરવા, મેવાડ પગરણ માંડતા, બની સિંહ સમ શૂરવીર ને, કષ્ટો અધિકા વેઠતા, આહાર – પાણી ના મળે, અંતર કદી અકળાય ના.. એવા....૫
- ૧૯૩છે.
Jainucation International
For Persol & Davete Use Only
www.jainelibrary.org