________________
તરવરીયા તોખાર સમા યુવકો એ ત્યજી દીધો સંસાર. મારગ સાધ્યો મુક્તિ કેરો છોડી માત-પિતા ઘરબાર, ગુરુ ચરણોની રજ માથે લઈ હાલી નીકળ્યા હારોહાર, મુનિ ગણોને મુમુક્ષુ તણી, ઊઘડી ગઈ પાઠશાળા.યુગો..૪ પ્રેમસૂરીશ્વર ગુરુદેવના સ્વર્ગીય શમણા કર્યા સાકાર, ભેટ દઈ ઉત્તમશ્રમણો ની શાસનને નવલી સુખકાર, પરમતેજ પથરાયાં ગુરુના ઉચ્ચ પ્રકાશ તણા પંથે, સાત્વિક સાહિત્ય પીરસ્યું જગને, અનંત ઉપકારી સંતે. સંયમની સુવાસ ગુરુની નીજ વણીને વર્તનમાં, સમગ્ર જીવન વ્યતીત કર્યું -મનોમંથન, ચિંતન, લેખનમાં. સ્વાધ્યાય-સંયમ-સદ્ ગુણોની-પ્રસરાવી સઘળે સુવાસ, જ્ઞાન-ધ્યાનની દિવસે દિવસે વધતી રહી અવિરત પ્યાસ. યુવા શિબિરના આદ્ય પ્રણેતા, મનમાં બાંધ્યા માળા.યુગો..૫ • ધન્ય ધરા ગુજરાતની ધન નગરી અમદાવાદ રે... પાક્યો યુગપુરુષ - જે રહેશે યુગયુગાંતર યાદ રે... મુમુક્ષુને મુનિઓનો સર્જક જભ્યો સદીઓ બાદ રે.. પાક્યો. • વાણી જેની અમૃત ઝરતી, વિષમવિષ ઉતારે રે... નેણો જેનાં નેહ નીતરતા, દર્શનરિત નિવારે રે... ભુવન ભાનુ તો તેને રે કહીએ.. અવનીને અજવાળે રે.. ભુવન... તપના તેજ લીસોટે જગના રાગ વિરાગને બાળે રે ભુવન...૧ રોમે રોમ અણુએ અણુ, જેનું મહેકે જ્ઞાનાચારે રે...
આઠે પહોર અરિહંત હૃદયમાં, પળભર નહીં વિસારે રે... ભુવન... ૨ • ક્યાં જઈ વસવાટ કર્યો ગુરુ, ક્યાં જઈ દર્શન પામું.
ક્યાં ગોતું સરનામું ૨.... ગુરૂમાં.... ગુરૂમાં.... ગુરૂમાં.....
૧૯૨૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org