________________
સંઘર્ષ થાય સિદ્ધાંતના, નામે કદાપિ ના ગમે, યુક્તિ નિપુણતા તીક્ષ્ણ પ્રજ્ઞા, જો ઈ દુર્મતિ પણ નમે, દુર્મતતણા અંધકારમાં ગુરુ ‘દિવ્યદર્શન આપતા.. એવા ગુરુ શ્રી ભુવનભાનુસૂરિ ચરણમાં વંદના એવા...૪ શ્રી સંઘના યોગ-ક્ષેમને હૈયે સદા અવધારતા રસઝરતી મીઠી વાણીથી, વૈરાગ્યને વરસાવતા, શિબિરના શુભયોગથી યુવાનોને ઉદ્ધારતા. એવા..૫ તપ-ત્યાગ ને સ્વાધ્યાયથી, જે દેહને કરતાં વહન, બની વર્ધમાન તપોનિધિ, નિજભાવમાં કરતાં રમણ, એકસો ને આઠ ઓળીથી, તપધર્મની કરી સાધના. એવા...૬ વીતરાગ કેરી ભક્તિથી, ભવિ ! ઈષ્ટ સુખને પામશે, ધર્મતણાં એ પુણ્ય પ્રભાવે, દુઃખ દર્દ દૂર થશે, મહાવીરનાં વચનનો, જયનાદ કરતા વિશ્વમાં એવા..૭ ચારિત્ર પાલનમાં હતા, ગુરુદેવ ખડક સમા અટલ, વાત્સલ્ય સહુને આપતા, હૈયું હતું કોમલ કમલ, તવ પુનિત પગલે ચાલવા, આશિષની કરું યાચના.. એવા....૮
8 જન્મ ચૈત્ર વદ -૬, સં. ૧૯૧૧- અમદાવાદ, દીક્ષા : પોષ સુદ-૧૨, રેસિં, ૧૯૬૭- ચાણસ્મા, પ્રથમ શિબિર સં, ૨૦૧૦ આબુ-અચલગઢ છે દીક્ષા પર્યાય ૫૮ વર્ષ, કાળધર્મ : ચૈત્ર વદ-૧૩, સં. ૨૦૪૯, અમદાવાદ
૧૮૯૨
Jain Education International
International
For Personal Private Use Only
www.jainelibrary.org