________________
શ્રી સંઘ છે જેનો પતિ કરે અર્થ વસ્તુપાલ એ શ્રી સંઘનો હું દાસ છું ધરે ભાવ સંઘપતિ સવે શ્રી સંઘના ચરણો પખાળે ને કરે અનુમોદના...તે. ૬ અનંત અરિહંતો કહે મહાસ્ય જે પદનું ઘણું તે સંઘપતિ પદ મુજ મળ્યું સદ્ભાગ્ય હું તેને ગણ આર્યો તણી સંસ્કૃતિને જીવન મળે છે જેહથી...તે. ૭ વિક્રમરાજા સંઘપતિ બની મહાસંઘ આયોજતા પંચસહસ સૂરીશ્વરા સિદ્ધસેન સૂરિ સહ શોભતા બહોતેર લાખ કુટુંબને છરી પાલતા જે લઈ જતા...તે. ૮ ગ્રામ નગરના વિવિધ સંઘો આવતા મૈત્રી વધે પ્રભાવના શાસન તણી શાસન તણા કાયો સધે માનું ખરે શિવમહેલનું ખુલ્યું જ મ્હારે બારણું...તે. ૯ માંડવગઢથી મંત્રી ઝાંઝણ સિદ્ધગિરિએ આવતા થરાદથી પણ આભૂશ્રેષ્ઠી સંઘ લઈ પધારતા રાયણશીરની શાખથી પેલી માળ ઝાંઝણ પહેરતા.. તે. ૧૦ પ્રાગ્વાટ વંશીય ધરણાશા પણ સંઘપતિ પદ પામતા તે કાળમાં બત્રીસ સંઘો સિદ્ધગિરિ ભેળા થતા એકવીસ વર્ષે બ્રહ્મવ્રતધારી સંઘમાળને ધારતા..તે. ૧૧ શ્રી સંઘ લઈ કુમારપાળ પધારતા શાશ્વતગિરિ ગુરૂ હેમચંદ્રાચાર્ય સંગે વધાવતા એ મનભરી અમર પળાવી અઢારદેશે ગણધર પદ નિકાચતા...તે. ૧૨ વસ્તુપાલ ને તેજપાલ અનુપમા લલિતા વળી સાડાબાર સંઘ કઢાવતા છરી પાલતા એ ગિરિ ભણી ચરણરજ શ્રી સંઘની નિજ મસ્તકે જે ચઢાવતા...તે. ૧૩
Jain Education International
For Persona
Xivate Use Only
www.jainelibrary.org