________________
શ્રી વડાલી તીર્થ (ગુજ.) શ્રી અમિઝરા પાર્શ્વનાથ સ્વામી અમિઝરા પ્રભુ પાર્શ્વની અદ્ભૂત મહિમા છે કહી,
શાંત આદિનાથ અક્ષય સૌમ્યદાતા છે સહી. પ્રાચીન જિનવર બિંબ ભેટત દુઃખ દોહગ દૂર હો, વડાલી તીરથ ચિદાનંદ વંદો ભાવ ભક્તિપ્રચૂર હો. ઈડર ગઢ તીર્થ (ગુજ.) શ્રી શાંતિનાથ સ્વામી ગર્ભમાં આવતા જગતમાં શાંતિ પ્રસરી સર્વદા, અચિરાના નંદન શાંતિને વંદન કરતા સદા... તીર્થ ઈડરમાં બિરાજે આત્મભાવ પ્રકાશકો, ભાવ ભક્તિ ચિદાનંદ વંદન તીર્થ પાપ પ્રણાશકો. શ્રી મંદસૌર તીર્થ (મ.પ્ર.) શ્રી અજિતનાથ સ્વામી
ઐતિહાસિક છે ધરા ક્ષમાદાન પરસ્પરમાં થયો, | આર્યરક્ષિતસૂરિને નિજ માત વાણીએ સ્પર્શે.
અજીત આદિ પાર્શ્વશ્રેયાંસ ચૈત્ય ઉદ્ઘકાય છે. મંદસૌર ચિદાનંદ સહ નમત સુરનર પાય છે. શ્રી ગંધાર તીર્થ (ગુજ.) શ્રી પાર્શ્વનાથ સ્વામી જલ માર્ગથી વ્યવસાય હતો જ્યાં ધર્મપ્રેમી જન વસે, પ્રભુવીર પારસનાથ દર્શન ભાવવર્ધક ઉલ્લસે.
આનંદમંગલ કારકા જિનરાજની આભા સદા, - ગંધાર વંદો ચિદાનંદ ભાવે નિત આતમઉન્નતિ સદા. શ્રી લક્ષ્મણી તીર્થ (મ.પ્ર.) શ્રી પદ્મપ્રભુ સ્વામી
ભૂગર્ભમાંથી પ્રાપ્ત સુંદર દિવ્ય દિસિવંત છે, શ્રી પદ્મપ્રભુ મહાવીર આદિ બિંબ અતિશયવંત છે. મન મયૂર નાચે વિમલ દર્શન કર પ્રભુના પુણ્યથી, શ્રી લક્ષ્મણી તીર્થ વંદન કરત ચિદાનંદના નૈપુણ્યથી.
Jam Egucation International
For Person Gerate Use Only
www.jainelibrary.co
www.jainelibrary.org