________________
શ્રી સિંહપુરી તીર્થ (યુ.પી.) શ્રી શ્રેયાંસનાથ સ્વામી શ્રેયાંસ જીનવર ચ્યવન જન્મ સંયમી થયા કેવલી, ઈતિહાસ ગૌરવમય અહીં આ તીર્થભૂમિ મનહરી. સમ્રાટ સંપ્રતિએ બનાવ્યું તૂપ જિનશાસન નિધિ,
ચિદાનંદ વંદન કરે, અમ સિંહપુરી શ્રદ્ધા વિધિ. પદ - ૯ પઢમં હવઈ મંગલ.
શ્રી પરોલી તીર્થ (ગુજ.) શ્રી નેમિનાથ સ્વામી ભૂગર્ભમાંથી થઈ પ્રગટ પ્રભુ નેમિજીન મૂરત ત્યાંહી, છે દર્શનીય વંદનીય ધુતિ પ્રભા કાંઈ ઓછી નહીં. સંસાર દુઃખથી મુક્તિ માટે નાથ આલંબન ગ્રહી, ચિદાનંદ તીર્થ પરોલી મંડણ વિશ્વ વંદિત છે સહી. શ્રી ઢંકગિરિ તીર્થ (ગુજ.) શ્રી આદિનાથ સ્વામી ગિરિરાજનો જ આ ભાગ છે પ્રભુ આદિ જિનવર સ્પર્શના, ટૂંક મુનિવર મુક્તિ સાથે હતા સેંકડો મુનિ ગુણધના.
ભાવ ભક્તિ પૂર્ણ રાખી તીર્થયાત્રા જે કરે, ચિદાનંદ ઢંકગિરિવર સહજ ભવનિધિ નિસ્તરે. શ્રી મંડાર તીર્થ (રાજ.) શ્રી મહાવીર સ્વામી મનમોહન મહાવીરના દર્શન કરીએ શુભ ભાવથી, દેવ નિરંજન મળ્યા,બચી જઈશું ભવ દાવથી.
આપ્યો વિશ્વમૈત્રીનો સંદેશ આ સંસારને, - મંડાર તીરથ ચિદાનંદ ભેટત કર સફલ અવતારને. | હસ્તિનાપુર તીર્થ (ઉ.પ્ર.) શ્રી શાંતિનાથ સ્વામી
પ્રભુ શાંતિ કુંથુ અર જિનેશ્વર ભૂમિકલ્યાણ કકહી, વરસીતપના પારણા કર્યા આદિનાથ પ્રભુએ અહીં. તીર્થ આ અભિનંદનીય હસ્તિનાપુર અભિરામ છે,
શાંતિજિન વંદિએ ચિદાનંદ ભવ આરામ છે.
(૧૮૧૩ For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org