________________
ચ
શ્રી ચંદ્રાવતી તીર્થ (ગુજ.) શ્રી ચંદ્રાવતી પાર્શ્વનાથ પૂર્વે હતું ચદ્રાવતી જે આજ ચાણસ્મા બોલાય છે, લાખોવર્ષથી અધિક પુરાની મૂર્તિ ત્યાં સોહાય છે. પાર્થ ભટેવા જેહની છે અમિય ઝરતી આંખડી, દર્શન કરતા ચિદાનંદની ખીલતી ઉર પાંખડી.
શ્રી નડિયાદ તીર્થ (ગુજ.) શ્રી અજિતનાથ સ્વામી નડિયાદ છાજે અચલ રાજે અજિત જિનવર અઘહરો, ભવિ નિત્ય ધ્યાવે શાંતિ પાવ ભાવ ભક્તિ મનહરો. સુંદર સુશોભિત છે જિનાલય આત્મપાવન કારકા, વંદનકરે વિધિયુત ચિદાનંદ કર્મ બંધન વારકા. શ્રી મુછાળા મહાવીર તીર્થ (રાજ.) શ્રી મહાવીર સ્વામી મહિમા અદ્ભૂત તીર્થની સહુ સુજ્ઞ જન કહેતા અહીં,
રાણા સ્વયં જોઈ કહે છે વીર મૂછાળા સહી.
સુંદર સલૂણો ધામ ભેટત આત્મનિર્મળ કરીએ, વંદો ચિદાનંદ ગુણગાન કરીને આસ્વાદ અમૃત પીજીએ.. શ્રી કાપરડાજી તીર્થ (રાજ.) શ્રી પાર્શ્વનાથ પ્રભુ
તીર્થ કાપરડા નિહાળો મોહનો મહિમાનીલો, ચૌમુખ બિરાજે પંચ મંજિલ ભેટીએ ત્રિભુવનતીલો.
સ્વયંભુપારસનાથ દર્શન ભવ્યતમ હિતકારક છે, ચિદાનંદ જિનવર ચરણમાં નમન વારંવાર છે.
कक
શ્રી રોજાણા તીર્થ (મ.પ્ર.) શ્રી આદિનાથ સ્વામી રોજ આવજો અહીં મળશે આદિનાથ નિર્મલ પ્રભો, પ્રભુ આદિ યોગીરાજ મૂરત ભેંટલો ભય હર વિભો. માલવ ધરાએ છે વસ્યુ આ તીર્થ રોજાણા ભલા, ચિદાનંદ યાત્રા કરીએ મળી જશે જીવનકળા.
Jain E
cation International
For Pe
v
ate Use Only
www.jainelibrary.org