________________
શ્રી હૂબલી તીર્થ (કર્ણાટક) શ્રી શાંતિનાથાય. જિનદેવની જિનઘર બની એ તીર્થ ભૂમિસર્વદા,
છે પાપ પંક નિવારકા જપતા ટળે બધી આપદા.. હૂબલી શુભ સ્થાનમાં પ્રભુ શાંતિ સોળમા સ્વામી છે, ચિદાનંદ કરતા ભાવથી નિત કોટી કોટી પ્રણામ છે.
શ્રી નંદીગ્રામતીર્થ (ગુજ.) શ્રી સીમંધર સ્વામી
નંદકારક નંદીગ્રામે તીર્થ નિર્માણ છે થયું, પ્રભુ પાર્થ સીમંધર જિન પૂજતા કર્મમલ દુર ગયું.
માતાવામા સત્યકી નંદન કરે વંદન ત્રિધા, પુણ્ય યોગે ચિદાનંદ અવસર જોઈલો સારી વિધા. પદ -૬ એસો પંચ નમુક્કારો.
શ્રી એલુર તીર્થ (એ.પી.)શ્રી પાર્શ્વનાથ સ્વામી અક્ષત અનંત સુખ પ્રાપ્ત કરવા સીધો માર્ગ છે સહી, નવકારની આ ભાવયાત્રા ભાવવર્ધક છે કહી. જિનદેવને દિલમાં ધરી કલ્યાણ મારગ સંચરે , ચિદાનંદ ભક્તિભાવથી પ્રભુ પાર્થને વંદન કરે.
S
શ્રી સોનાગિરિ તીર્થ (રાજ) શ્રી નેમિનાથ પ્રભુ
સ્વર્ણ ગિરિ કનકાચલો સોનાગિરિ શુભ નામ છે, પ્રભુવીર પારસ આદિ શાંતિ નેમિજીનનું ધામ છે,
ભૂપ નાહડે બનાવ્યું વીર ચૈત્ય વિશેષ છે. ગિરિવર ચઢતા દર્શન કરતા ચિદાનંદ સુવિશેષ છે. શ્રી પંચાસરા તીર્થ (ગુજ.) શ્રી પંચાસરા પાર્શ્વનાથ
પંચાસરા નગરી મોટી પણ કવલિત થઈ ગઈ, પ્રભુ પાર્શ્વ વામાનંદ પડિમા ભેટતા ભવિજન કઈ. પંચાસર પારસ બિરાજે આજે પાટણમાં ત્યાં, અમે ભાવયાત્રા કરીએ ચિદાનંદ વિધિ છે જ્યાં.
Jain Education International
For Personalvate Use Only
1953
www.jainelibraryorg