________________
શ્રી મોટાપોશીના તીર્થ (ગુજ.) શ્રી પાર્શ્વનાથ સ્વામી નિર્મલ નિરાલા પાર્થ જિનવર કુમારપાલ ભરાવીયા,
જેની પ્રતિષ્ઠા છે હેમચંદ્રાચાર્યની ઉત્તમધિયા. તીર્થ મોટા પોશીના આ સુખદ પાવન ધામ છે, આ ભાવયાત્રામાં ચિદાનંદ કોટિ કોટિ પ્રણામ છે.
શ્રી સિદ્ધાચલ તીર્થ (ગુજ.)શ્રી આદિશ્વર પ્રભુ. શિવસિદ્ધિકારક દુઃખવારક ભીતિહારક છે સદા,
કરજોડી વંદન જે કરે તે દુઃખથી બચતા તદા. ભવ બંધનોથી મુક્ત થઈને આતમા શિવને લહે, ચિદાનંદ ભાવયાત્રા કરે તે સિદ્ધિ નિજગુણમાં રહે, શ્રી ધાનેરા તીર્થ (ગુજ.)શ્રી શાંતિનાથ પ્રભુ જે રમ્યભૂમિગુર્જરા પ્રભુ શાંતિ જિનનું ધામ છે, ધાનેરામાં સૌમ્ય પડિમા દિવ્ય તેજ લલામ છે. આનંદ કંદ અમંદ વિભુવર સકલ ગુણ વિશ્રામ છે, - શુભભાવ ચિદાનંદ કરતા કોટિ કોટિ પ્રણામ છે.
| શ્રી નંદીશ્વર તીર્થ શ્રી ગઢષભ, ચંદ્રાનન, વારિર્ષણ, વર્ધમાન છે તીર્થ શાશ્વત વિશ્વમાં આ તીર્થ નંદીશ્વર જ્યાં, શાશ્વત બિરાજે બિંબ ચૌમુખ આજ પણ છે જેમાં ત્યાં. છપ્પન જિનાલયથી સુશોભિત ઈન્દ્ર સુર ઉત્સવ કરે,
ચિદાનંદ દ્વીપ અષ્ટમચરણમાં ત્રિયોગથી વંદન કરે. પદ - ૩ નમો આયરિયાણં
શ્રી નવકાર તીર્થ (ગુજ.) શ્રી નવકાર પાર્શ્વનાથ
સરસ સુખદા તીર્થભૂમિ તીર્થનવકાર ધરા, મોહની મૂરત બિરાજે વિમલ દૃષ્ટિ-ધર વરા. પરમેષ્ઠી મંદિર પરમપાવન જોતા આરામ છે, નવકારા પારસ ચરણમાં નિત ચિદાનંદ પ્રણામ છે.
ન
(૧૭૧૩
Jain Edition International
For Personal Private Use Only
www.jainelibrariorg