________________
સાગરપ્રભુના કાળમાં, અતીત ચોવીશી મહીં, બ્રહ્મેન્દ્રયે નિજ ભાવિ જાણી, નેમની પ્રતિમા ભરી, ગણધર પ્રભુના એ થયા, વરદત્ત શિવવધૂ ધણી, એવા પ્રભુ નેમિનાથને, કરું ભાવથી હું વંદના...૧૩ આર્ય અનાર્ય પૃથ્વી ૫૨, પ્રતિબોધતા વિચરણ કરે, નિર્વાણકાળ સમીપ જાણી, રૈવતગીરી પાછા ફરે, અણસણગ્રહી અષાઢ માસે, ધવલાષ્ટમે સિધ્ધિ વરે, એવા...૧૪ લોચન મીંચાયા મોહવશ, તુજ દર્શ ને પામ્યો નહીં પુણ્યોદય થયો આજ મારો, માર્ગ પામ્યો હું સહી, તુજ સ્વરૂપને પીછાણવા, મને દિવ્યદ્રષ્ટિ આપજે, મુજ હૃદયની એક ઝંખના, મને તારા સરિખો બનાવજે....૧૫ સંસારે રઝળુ એજ સુચવે, કર્મતણી એ બહુલતા, પીઠબળ પામી તાહરું હું, કર્મની કરું અલ્પતા, પુરુષાર્થ કરું હું પ્રમોદથી, તો થાયે કર્મ નિકંદના, મુજ..૧૬ તું સદા આનંદમાં, સ્થિર રહે ઉપશમભાવથી, ક્રોધાદિ ચાર કષાય મુજને, પીડતા બહુકાળથી, ભવાભિનંદીપણું મિટાવી, ભવભીરુતા આપજે, મુજ...૧૭ કર્મચૂરણ આશપૂરણ, તુમ કૃપાએ અજન્મા બનું, ગીરનાર મંડણ નેમિ જિનવર, તુજ પાસે આશિષ ગ્રહું, “ગુણ” વૈભવ પામી, “મુનીશ” બની, હું શિવગતિગામી બનું, મુજ હ્રદયની એક ઝંખના, મને તારા સરિખો બનાવજે.. ૧૮
Jain Education International
AXOmate Use Only
For Personal
www.jaine brary.org