________________
પટરાણીઓ શ્રીકૃષ્ણની લલચાવતી તમને ઘણી, તોયે તમે કૃતનિશ્ચયી બની લેશ પણ ડગ્યા નહી, તવ પુનિત પગલે મહિમા, ગરિમા વધી ગીરનારની એવા પ્રભુ નેમિનાથને, કરું ભાવથી હું વંદના...૬ બાલબ્રહ્મચારી કુમારનેમિ, વિકાર ના નયનો મહીં, ભોગવિલાસને ત્યાગતા, એ કામ પર વિજયી બની, તેજસ્વિતાનો પુંજ જાણે, ગુણવિભૂષિત તન મહી, એવા..૭ રાગ સ્થાને વિરાગપામે, એવી શુદ્ધ પરિણતી દેવાંગના સમ અંગના મળે તોયે નિલેપ અતિ, વર્ષીદાન તિહાં દિયે, અંતર કરુણા ભાવથી એવા...૮ રાજુલરમણી ત્યાગીને, શિવરમણી વરવા જઈ ચડે, વૈરાગ્ય પામી સહસાવનમાં, જઈ સંયમ આદરે, શણગાર ત્યજી અણગાર બને, સહસ પુરુષ સંગાથ રે, એવા..૯ સંવેગજનની વિરાગઝરતિ, દેશનામૃત પાનથી, આત્મા જગાડ્યો રાજીમતીનો, નવભવોની પ્રીતથી, ન થયો મેળાપ હસ્ત, શિરે હાથ મૂકાવતી, એવા...૧૦ ભવપરંપરા સ્થગિત કરવા, દાખવી શૂરવીરતા, દીક્ષા ગ્રહીને અલ્પકાળે કર્મઘાતી ખપાવતાં, પંચાવનમે દિવસે કેવલ સહસાવનમાં રહિ વર્યા, એવા...૧૧ અનંતસુખ ભોજન બનાવે, પહેલા સતી રાજુલને જિનરાજ કર્મ ખપાવીને, ઝટ વરે શીવપટરાણીને, દંપતી દોય મુગતિ વર્યા, બની પ્રીત સાદિ અનંત રે, એવા...૧૨
For Pe$93 Rivate Use Only
www.
Jain Edation International
elibrary.org