________________
જગનાથ જગદાધાર, આદિનાથ તું ત્રિભુવન ધણી, તુજ દ્વાર આવી હું ઊભો, કહું વેદના મુજ મન તણી, કરુણા કરી સુણજો હવે, જરી નજર કરજો મુજ ભણી, એવા શ્રી શત્રુંજય આદિ જિનનાં ચરણમાં પ્રેમે નમું....એવા.૧૮ સંસાર ઘોર અપાર છે, પ્રભુ આપ મુજને ઉદ્ધરો, ઉજજવલ કરી મુજ આત્મ ઘરને, આપ તેમાં ઊતરો, પાપી અધમ અજ્ઞાની મુજને, આપ પ્રભુ પાવન કરો. એવા.૧૯ મુજ આત્મ ઘર શૂનકાર ભાસે, આપના દર્શન વિના, દર્શન થતાં જિનવર તમારું, થાય મુજ નયણા ભીના; મુજ ભૂલ બધી ભૂલી જજો, રહી ના શકું હું તમ વિના. એવા. ૨૦ પડછંદ તારા દેહની જયારે કરું હું કલ્પના, નહીં કોઈ સાથે કરી શકું, ત્યારે પ્રભુ તુજ તુલના; ઊંચા હિમાલય આગળ હું કીડી જેવો દીસતો. એવા. ૨૧ ત્રણ ભુવનમાં પ્રભુ તુજ સમો, નહીં દેવ દૂજો દીસતો, ઉદ્ધાર નહીં મુજ તુજ વિના, તું એક વિશવાવિગતો ; પાપી અધમ અજ્ઞાન છું, માગું છતાં આશિષ તો. એવા.૨૨ શરણું ગ્રહ જેણે જીવનમાં, આપનું સદ્ભાવથી, ભવજલ તરી પહોંચી ગયા, મોક્ષે બહુ સહેલાઈથી; લેવા શરણે આવ્યો ચરણમાં, શરણ દેજો જલ્દીથી. એવા. ૨૩ મેં મારી વાત કહી તને, કહેવાય એવી જ હતી, બાકી બધું તું જાણતો, છાનું કશું તુજથી નથી; માંગુ છું મુક્તિ તણું કિરણ, આપો એ મુજ પાસે નથી,એવા.૨૪
Jain Educar
૧૨૨ For Persal & Private Use Only
International
www.jainerary.org