________________
શ્રી તીર્થપતિને પામીને, સંખ્યાતીતો મોક્ષે ગયા, સાંનિધ્ય જેનું પામીને, અનંતા જીવ ભવજલ તય; સાંનિધ્ય તો જસ દૂર રહ્યું, સ્મરણે અનંતા શિવ વર્યા એવા શ્રી શત્રુંજય આદિ જિનના ચરણમાં પ્રેમે નમું...૧૧ ગૌ-નારી બાળક મુનિ તણી, હત્યા તણા કરનારને, દેવ દ્રવ્યને પદારા ભગિની, ભોગના કરનારને ; ઈત્યાદિ ઘોર કુકર્મકારી, જયાં પરમ પદને વર્યા. એવા.૧ ૨ જસ ધ્યાનથી અઘ દૂર થતાં, એક સહસ પલ્યોયમ તણાં, જે તીર્થ પ્રત્યે ગમન નિયમે, લાખ પલ્યોપમ તણાં; જે તીર્થ પ્રત્યે ડગલું ભરતાં, સાગરોપમ અઘ હણે,. એવા.૧૩ પુંડરિક ગણધર રામ પાંડવ, ભરત નારદ મુનિવરા, પ્રદ્યુમ્ન શાંબ કુમાર દ્રાવિડ, વારિખિલ્લાદિક નરા; વૈદર્ભિ આદિ કોટિ કોટિ શુ, અણસણે જ્યાં શિવ લહ્યા, એવા.૧૪ ભવોભવ મહીં તીર્થપતિ, પાપો કર્યા મેં અતિ ઘણાં, કામ ક્રોધ આદિ કુવાસનાથી, દુ:ખ લીધા અતિ ઘણાં ; અનુતાપનાં આંસુ થકી, જે તીવ્ર પાપો ભેદતાં. એવા.૧૫ દુર્ભવિ અવિના નયન પટમાં, જે કદિ આવે નહીં, કલિકાળમાં પણ ભવ્ય જીવને, તારવા પ્રવહણ સહી; દિવ્ય દીપ બની ભવ સાગરે, જે રાહ ભવિને ચીંધતા. એવા.૧૬ જેને નમે ભક્તો સદા, નિજ હૃદય ભાવો જોડીને, જેને નમે ઈન્દ્રો નરેન્દ્રો, હાથ જોડી જોડીને; મુજ હૃદયના છો નાથ, આદિનાથ હું તમને સ્તવું. એવા.૧૭
(૧૨૧૩
Jain Education
For
sorr
Private Use Only
www.jately.org