________________
ત્રણ ભુવનના શણગાર એવા, વિમલ ગિરિવર ઉપરે, ત્રણ જગતના તારક બિરાજે, આદિ જિનવર મંદિરે; અદ્ ભુત જયોતિ ઝળહળે, જે જો ઈ દેવો પણ ઠરે એવા શ્રી શત્રુંજય આદિ જિનના ચરણમાં પ્રેમે નમુ... ૪ શ્રી વિમલગિરિ તીર્થેશ, આદિનાથનું ધરે ધ્યાન જે, પટ્ મહિના લાગલગાટ પામે, દિવ્ય તેજ પ્રકાશ તે; ચકેશ્વરી તસ ઇષ્ટ પૂરે, કષ્ટ નષ્ટ કરે સદા,. એવા.૫ ભક્તો તણી ભીડમાં પ્રભુ, મુજને ન તું ભૂલી જતો, દૂર દૂરથી તુજને નીરખવા, આશા લઈ હું આવતો ; ક્ષણવાર પણ તુજ મુખના, દર્શન થતાં હું નાચતો, . એવા.૬ હે નાથ તારું મુખડું જોવા, નયણ મારા ઉલ્લસે , હે નાથ તારા વયણ સુણવા, શ્રવણ મારા ઉસે ; હે નાથ તુજને ભેટવા મુજ, અંગ અંગ સમુલ્લશે. એવા.૭ કલિકાળમાં અદ્ભુત જો ઈ, દિવ્ય તુજ પ્રભાવને, ભગવાન માંગુ એટલું, ભવો ભવ મળો ભક્તિ મને ; તુજ ભક્તિથી મુક્તિ કિરણની, જયોત જાગો અંતરે. એવા.૮ જે ગિરિ તણાં કણ કણ થકી, સાધુ અનંતા શિવવર્યા, જેના સ્મરણથી પાપીઓએ, સર્વ નિજ પાપો હર્યા; જેના સમું તારક તીરથ, ત્રણ ભુવનમાં બીજુ નહીં. એવા.૯ જેને નમે દેવેન્દ્રગણ, બહુ ભાવથી ને લળી લળી, સે વા મળો ભવોભવ પ્રભુ, એ મ માંગતા જે વળી વળી; જસ ભક્તિ આગળ સ્વર્ગલક્ષ્મી, તુણ સમી ગણતાં વળી.એવા.10
Jain Education International
૧૨૦ For Personel & Dlate Use Only
www.jainelary.org