________________
Jain Education
પરમાર્થવૃત્તિ આપી સાચી જીવન મારું ઉજાળજે. સ્વામી સીમંધર વિનંતી વિતરાગ ભાવને આપજે...૧૧ પંચેન્દ્રિયને વશ બની હું વિષયસુખમાં રાચિયો, કષાયની આધીનતામાં ભાન હું ભૂલી ગયો, આત્મ-સ્વરૂપને પામવા પ્રભુ દિવ્યચક્ષુ આપજે. સ્વામી...૧૨ ભવભ્રમણથી થાકી ગયો હવે પાપભીરુ બનાવજે, કારુણ્યદ્રષ્ટિ દાખવી ભવચક્રને તું કાપજે, શરણું સ્વીકાર્યું તારું મને પૂર્ણાનંદી બનાવજે. સ્વામી.... ૧૩ અવગુણદ્રષ્ટિ છેદીને મને ગુણદૃષ્ટિ આપજે, કરીશ મુજ પર મહેર તો યશ તારો ઉજ્જવલ વાધશે, મારી ને તારી એકતાના ભાવમાં ભીંજાવજે. સ્વામી...૧૪ યોજન કરોડો અંતરે પ્રભુ તું વસે અતિ દૂર હૈ, અંતરથી અંતર ના રહે, અભિલાષ મારી પૂર હૈ, ડગમગતિ નાવનો તું એક રક્ષણહાર રે. સ્વામી...૧૫ જો હોય મુજ પાંખડી તો આવુ આપ હજૂર રે, એ લબ્ધિ જો મુજ સાંપડે તો ન રહ્યું તુમ થકી દૂર રે, નિર્જાગી હું ભરતે રહ્યો મુજ કર્મદળને ચૂર રે. સ્વામી...૧૬ સમતાના સ્વામી છો તુમે વળી ક્ષમાગુણ ભંડાર રે, વિકારહીન નયનો તમારા મુખમુદ્રા પ્રસન્ન હૈ, અક્ષય ખજાનો ગુણનો, તુમ પાસે ધરુ આશરે, “ગુણરત્ન’” પામી ‘મુનીશ’” બની મુક્તિમાં કરું વાસરે.સ્વામી..૧૭
saibal
૧૦૯ For Personar & Private Use Only
jainelibrary.org