________________
પંચ આરે ભરતમાં અનુપમાદેવી અવતરી, કરી પૂર્ણ ઉત્તમસાધના જેથી મહાવિદેહ વરી, વિરાગ પામી અલ્પવયે વૈરાગ્યભીની વાણીથી એવા સીમંધર સ્વામીને ભાવે કરું હું વંદના...૫ જેહની સમીપે પામી દીક્ષા વરસ આઠની વયમહી, નવ વર્ષ થાતાં કેવળી જેનાં પુનિત ચરણો ગ્રહી, હાંસલ કરે એ મોક્ષ અંતે જેનાં પુણ્ય પ્રભાવથી,. એવા...૬ આ ભરતવાસી બેન સાધ્વી જક્ષા આવી મેળવે, નિજબંધુ શ્રીયકની-તપસ્યા પ્રશ્નના સમાધાનને, અદ્ભુત અનુપમને મનોહર વાણી સુણી હૈયું ઠરે. એવા...૭ વર્ણવે લક્ષ્મીસૂરિ, મહિમા સિમંધર સ્મરણનો, લાખવાર જપે જાપ જિનનો, જન્મે વિદેહે તે જીવો, આઠ વર્ષે દીક્ષા લઈ, કેવળી બની મોક્ષે જશે. એવા... ૮ જે પ્રભુના નયનથી કરુણાતણું અમૃત ઝરે, જે પ્રભુના હૃદયમાં વાત્સલ્યનાં ઝરણા વહે, જે પ્રભુના મીઠાવયણો જીવોને મુદિત કરે. એવા...૯ અવનિતલે વિચરી સદેહે ઉપકારી કૃપા કરે, દેશનાસુધાના પાનથી, ક્ષુધા-પિપાસા ઉપશમે, સમવસરણની શોભા નીરખી હૃદયકમલ ઉલ્લસિત બને. એવા...૧૦ મેં સ્વાર્થભાવે વિશ્વના બહુજીવને દુભાવિયા, કાંઈ ન સાધ્યું હિત મારું દુર્ગુણોના ઢગ ભર્યા,
Jain Education International
૧૦૮૩
For Personal & Private Use Ormy
www.dinelibrary.org