________________
શ્રમણી વંદના
કૈવલ્ય પામે જે દિને સ્થાપે શ્રી જિન ચઉસંઘને, શાસનતણા બીજે પદે સ્થાપે શ્રી શ્રમણીસંઘને, શાસનતણું જે અભિન્ન અંગ ને સ્થાન જે ગુણગણતા, અરિહંત સ્થાપિત શ્રમણી સંઘને ભાવથી કરું વંદના.૧
આધારસ્તંભ શાસનતણા શ્રી શ્રમણસંઘને કહે બધા, શાસનતણી આધારશીલા શ્રમણીસંઘને નમું સદા, શોભે શ્રમણથી ધર્મ પણ આધારશીલા દેખાય ના...અરિહંત. ૨ પરમેષ્ઠીના પંચમપદે પણ જેહની છે સ્થાપના, દ્વિતીય પદને પામવા કરે નિત નવનવી સાધના, તપ ત્યાગ ને વૈરાગ્યના, રંગોથી પૂરતા આંગણા...અરિહંત, ૩ આ કાળમાં જે પ્રથમ આ બ્રાહ્મી સુંદરી શોભતા, નિજ ભ્રાતને ઉપદેશ દઈ અભિમાનથી ઉતારતા, આર્યા છે ચોવિશ જિનતણી પથિક જે શિવમાર્ગના...અરિહંત. ૪ પતિત પરિણામે મુનિને સ્થિર કરે સંયમમહીં, રહનેમી- રાજુલનું કથાનક યાદ કરૂ આજે અહીં, દ્રઢતા ગ્રહી નિજ શીલની શીલવાન સહુને બનાવતા...અરિહંત. પ પ્રભુ વીરની એ પ્રથમ આર્યા ચંદનાને નમું ખરે, ગુરુ માતાનો ઠપકો સુણી મૃગાવતી કેવલ વરે, અદ્ભુત ચાલના દર્શને શેઢુક સંયમને ગ્રહે...અરિહંત'. ૬
Jain Education international
For Person Pivate Use Only
ellgary.org