________________
મદનરેખા સાધવી થઈ. યુદ્ધ મેદાને જતા, નમિરાયને શ્રી ચંદ્રય શને યુદ્ધથી અટકાવતા, ઉજજવલ બને સંસાર આખો જેહના તપધર્મથી અરિહંત સ્થાપિત શ્રમણી સંઘને ભાવથી કરું વંદના.૭ અરણિક મુનિવર ગ્રીષ્મથી પતિત પરિણામી થતા, વાત્સલ્ય ભીની માતા સાધ્વી આંખથી આંસુ જતો, ઉપદેશ આપી લાલને ફરી સંયમે જે સ્થાપતા....અરિહંત. ૮ ચૌદસો ચુમ્માલીસ ગ્રંથની એ જે મણે રચના કરી, ભગવાન શ્રી હરિભદ્રસૂરિ શાસનની પ્રતિભા ખરી, નિજ જાતને યાકિનીમહત્તરા સુનું કહી ઓળખાવતા....અરિહંત. ૯ બંધ મુનિ શ્રીયકને તપધર્મમાં જે જોડતા, યક્ષાદી સાત ભગિની આય બુદ્ધિમાન કહાવતા સ્વામી સિમંધર પાસથી ચૂલિકા ગ્રહી જે આવતા....અરિહંત.૧૦ આઠ વર્ષની બાલ વયમાં સંયમ વેશને ધારતા, બાર વર્ષના સંયમમહીં શત સપ્ત શિષ્યાઓ થતા, આર્યા શ્રી પદ્મલક્ષ્મી નામે માતર તીર્થે શોભતા..અરિહંત.૧૧ આ કાળમાં પણ ભવ્ય તપને તેજથી જે શોભતા દઢધર્મીને પ્રિયધર્મી જે ઓ વિવિધ અભિગ્રહ ધારતા દિલડું નમે છે મારું ને કર્ણયુગ પાવન થતા...અરિહંત. ૧૨ આત્મ કમલની લબ્ધિ લેવા વિક્રમ કરતાં જે સદા, શાસનતણી સમૃદ્ધિના વળી મૂળ છે જે ઓ સદા, સૌ"ભાગ્ય" વધશે તેહનું જે યશ ગાશે તેહના...અરિહંત.૧૩
Jain Education
નn,
www.jainelibrary.org